SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ આ રીતે પૂર્ણિમાની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિની પ્રાચીન પ્રણાલિકા વિરૂદ્ધ નવ મુદ્દા વિજયરામચંદ્રસૂરિજીએ રજુ કર્યા છે. પરંતુ એકે મુદ્દામાં પ્રાચીન પ્રણાલિકાની અસંગતતા, દોષ કે શાસ્ત્રથી વિરોધ બતાવી શકયા નથી. તેમજ તેમણે રજુ કરેલ નવીન માન્યતાના સમર્થનમાં સ્પષ્ટ એક પણ આધાર કે પરંપરાનો દાખલો આપી શકયા નથી એટલું જ નહિ પણ તેને સંગત કે વ્યવસ્થિત પણ કરી શક્યા નથી. શાસ્ત્રાનુલક્ષી પરંપરા મુજબ ટીપણામાં બીજ પાંચમ આઠમ આરઆર અને ચોદશની ક્ષયવૃદ્ધિ પ્રસંગે શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણે એકમ ચોથ સાતમ દસમ અને તેરસની ક્ષયેવૃદ્ધિ થાય છે કે જેને સં. ૧૯૨ સુધી વિજયરામચંદ્રસૂરિજીએ અને તેમના વડીલોએ આચરી છે. તેના વિરોધ માટે આ. વિજયરામચંદ્રસૂરિજીએ મુદ્દા ૪-૫ અને તેની પૂર્તિરૂપે મુદ્દા ૬-૭-૮૧૨-૧૩–૧૭ કુલ આઠ મુદ્દા અને ૭-૮-૯-૧૦-૧૧–૧૨-૧૩–૧૪-૧૫-૧૬ -૧૯-૨૦-૨૩-૨૪-૨૫ શાસ્ત્રપાઠ રજુ કર્યો છે. મુદ્દો ચોથામાં આચાર્યવિજય રામચંદ્રસૂરિજીએ એ પૂર્ધા તિથિ વાઈ અગર “થે પૂર્વ તિથિaહ્યા' શાસ્ત્ર વચનને પિતાને સંમત અર્થ છે નીચેના શબ્દોમાં જણાવ્યું છે. “ આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે જે પૂર્વ તિથિ કાળ અગર સાથે પૂર્વા તિથિહ્યા એ આજ્ઞા જે પર્વતિથિ ઉદયતિથિરૂપે પ્રાપ્ત થતી જ ન હોય તેવી પર્વ તિથિની માન્યતા અને આરાધનાને દીવસ નક્કી કરવાને માટે છે. પણ ક્ષીણુ પર્વતિથિના ક્ષયના બદલામાં તે ક્ષીણ પર્વતિથિની પૂર્વે જે કોઈ પણ પહેલી અપર્વ તિથિ આવતી હોય તેને ક્ષય કરવાને માટે નથી જ.” [આ. ૨. પક્ષ પૃ. ૭૯ } આમાં પરસ્પર અસંગતિ છે કારણકે આરાધનાનો દિવસ અને પર્વતિથિની માન્યતા નકકી કરવી એ પર્વ ક્ષય પ્રસંગે અપર્વ ક્ષય કરે જોઈએ તો તે બની શકે. આથી પર્વતિથિની માન્યતા નક્કી કરવું કહેનારે પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે પર્વ ક્ષય પ્રસંગે પૂર્વ અપર્વે ક્ષય કરે જોઈએ. પાંચમાં મુદ્દામાં આચાર્ય વિજય રામચંદ્રસૂરિજીએ વૃં જાવ તથા અગર શૂદ્ર ગ્રા તથોત્તર એ શાસ્ત્ર વચનને પિતાને સંમત અથ આ પ્રમાણે જણાવ્યું છે. આ મુદ્દા સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે વૃત્ત જ તત્ત અગર “દૃશ્નો ના તોર” એ આજ્ઞા જે પર્વતિથિ બે સૂર્યોદયને સ્પર્શ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy