SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ | પ્રકાશકીય નિવેદન નું ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં પૂસાધુ, સાધ્વી પ્રધાન શ્રી ચતુર્વિધ સંઘમાં પૂ૦ સાધુ મહારાજે શાસનની પ્રભાવના-સૌરભ અને ટકાવમાં અપૂર્વ ફાળો છે તે નિર્વિવાદ છે. આ પૂ. મુનિમહાત્માઓએ પિતાનું સમગ્ર પુણ્ય જીવન શાસનની પરમ વફાદારીપૂર્વક શાસનને ચરણે ધરીને આવા દુષમકાળે પણ શાસન અને મુનિજીવનની પ્રતિષ્ઠાને ટકાવી છે. જૈન મુનિજીવન એટલે રદેડ નિરીદતા કેવું ઉચ્ચ કોટીનું આરાધ્ય જીવન! એ મુનિજીવનને ત્રિકાલ ત્રિકરણોગે નમન અને વંદન કરવાની સભાવનાથી પરિપૂર્ણ હૈયેજ પ્રસ્તુત વિષયમાં કહેવું પડે છે કે–એ પાવન મુનિજીવન પણ કેાઈ તેવા પ્રકારના તીવ્ર પાપોદયે ઉસૂત્રપ્રરૂપણાદિથી સદોષ બની ગયું હોય છે ત્યારે તેનાથી થતા અનનાં મૂલ્યાંકન વચનાતિત હોય છે. આ નવા તિથિમતમાં પણ તેમ જ બન્યું છે. નવાતિથિમતે શ્રી સંઘમાં પખી, માસી અને સંવત્સરીપર્વને પણ જુદાં પાડીને શાસનને પારાવાર નુકશાન પહોંચાડ્યું છે, સ્વામિવાત્સલ્ય, પારણાં–અંતરવાયણું અને નકારશી જેવાં અમૂલાં ધર્માનુષ્ઠાને અટકાવ્યાં છે અથવા ખરાબે ચડાવ્યાં છે, સંઘમાન્ય પર્વતિથિએ ભદ્રિકને છૂટે મુખે ખાતા કર્યા છે, આ જોઈને કયા ધમનું હૈયુ ન કરે? સં. ૧૯૯૨ ના શ્રાવણ માસમાં પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજે બાર પર્વતિથિના પ્રચલિત આરાધના માર્ગમાં મતભેદ ઉભો કર્યો. અને એ તિથિના મતભેદે જૈન સમાજમાં તિથિ સિવાયનાં બીજાં પણ અનેક શાસન હિતસ્વી કાર્યોમાં ખલેલ પહોંચાડી અને સમાજમાં કલેશનાં બીજ રેપ્યાં. આચાર્ય મહારાજ શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ એ તિથિને મતભેદ ઉભેકરી વાવેલાં કૈલેશનાં બીજ પ્રત્યે સંગઠ્ઠનના અભાવ આદિ કારણે સમાજના મોટાભાગનું મૌન જોઈ એ મૌનને લાભ ઉઠાવી નવા તિથિમતાનુસારી કેટલીક વ્યક્તિઓએ તિથિના ખ્તાને શાસનમાં અરાજક્તા ફેલાવવા માંડી. આથી ભયંકર અનર્થ થતે જોઈ તેના રોધ અર્થે આ સંસ્થા સ્થાપવાની રાજનગરના અનેક નામાંકિત સદ્ગહસ્થાને આવશ્યક્તા સમજાવ્યું. અને તેનું સં. ૧૯૯૮માં શુભ સ્થાપન કર્યું. આ સંસ્થાને મૂળ ઉદ્દેશ પણ મુખ્યત્વે એ નવા તિથિમત આદિ દ્વારા સમાજમાં વમન કરાતાં ફૂલેશનાં બીજની ભાવિ અકારિતા સમજાવી સમાજને જાગૃત કરવા અને અરાજકતા ફેલાવનારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy