SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ઉડાવી દીધું. “એમ અહીં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનવાની ભૂલના કારણે સિદ્ધિગિરિજીની યાત્રા ચોમાસામાં થાય એવો મહાદોષ પણ વહોરવો પડયો. અન્યથા ઉપર મુજબની આપત્તિ ઊભી જ રહે છે. જો ચોમાસામાં સિદ્ધિગિરિજીની યાત્રા થાય એ વાત તેઓને માન્ય હોય તો પૂ. પાદ સચ્ચારિત્ર્યચૂડામણિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. અને એ મતના પ્રખર પુરસ્કર્તા આચાર્યદેવ શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. એ પણ ચોમાસામાં સિદ્ધિગિરિજીની યાત્રા કેમ નથી કરી ?'' tr “ વળી... પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનવમાં બીજો પણ એક દોષ છે. ધારો કે કોઈ શ્રાવકને નિયમ છે કે મહિનામાં બાર પર્વતિથિએ બાર આયંબિલ, બ્રહ્મચર્ય આદિ વ્રત-આરાધના કરવી. હવે સમજો કે તેઓના મતે બારમાંથી કોઇ પણ એક પર્વતિથિની વૃદ્ધિ આવી તો શ્રાવક (પ્રાયઃ) તો તેર દિવસ વ્રતપાલન આદિ આરાધના નહિ કરે. કારણ કે પર્વતિથિમાં પ્રથમ તિથિ (પર્વતિથિની વૃદ્ધિ સમયે ) તો તેઓ ‘ ફલ્ગુ’ માને છે. એટલે કે પર્વતિથિ તરીકે માનતા જ નથી. તેથી તે દિવસે આરાધના નહિ કરે. એટલે ત્યાં બારના બદલે તેર દિવસ આરાધના નહિ કરે. પણ સમજો કે એક મહિનામાં પૂનમ કે ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001759
Book TitleTithi Vishayak Saral Samjuti
Original Sutra AuthorN/A
AuthorSatya Suraksha Samiti Ahmedabad
PublisherSatya Suraksha Samiti Ahmedabad
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy