SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યનો ટેકાર, જિનશાસનનું શાન્ત-પ્રશાન સરોવર મસ્તીથી પોતાની મેળે લહેરાઈ રહ્યું હતું. વિશ્વને આકર્ષી રહ્યું હતું. પરંતુ ૧૯૯૨ની હોઝારી સંવતમાં તિથિવિવાદનો કાદવ, કીચડ અને ગંદકીથી લથપથ એક ઉદ્ધત હાથી પ્રવેશ્યો કે શાન્ત સરોવર ડહોળાઈ ઉક્યું. હાથીની ઉદ્ધતાઈ ભરી હરકતથી સરોવરનું સ્વચ્છનિર્મલ- જલ ગંદુ બની ગયું. સુગંધના બદલે દુર્ગન્ધ ફેલાવા લાગી, સરોવરમાં શોભતા સરલતા અને સહજતાના કમળો ઉખેડી નાંખ્યા અને નિંદા, વિવાદ, આક્ષેપ, જુઠની ગંદી સેવાળો જામવા લાગી, શાસનપ્રભાવનાના ગેલ કરતાં હંસો વિદાય થયાં ને અપભ્રાજનાના ભંડોએ ત્યાં ધામા નાંખ્યાં. ગણતરી હતી કે પૂ. આ. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિજી મ.ની વિદાય પછી આ ક્ષથી શાન્ત પડશે અને પુનઃ સરોવર પોતાની મસ્તીથી લહેરાતું થઈ જશે. પરંતુ “ચા કરતાં કીટલી ગરમ”ની જેમ પછી તો આ હાથીએ માઝા મૂકી. શાસનની સેવા, તીર્થોની રક્ષા અને મંત્રીના સૂરોની સરિયામ ઉપેક્ષા કરીને હાથીએ તાંડવ શરું કર્યું. એના રીંગલીડર જેવા આ. વિજય કીર્તિયશ સૂરિજી આદિએ તો આ હાથીને ફાગણી તેરસના મુદ્દે અને ચોમાસામાં યાત્રાના મુદ્દે પરમ- પાવન ગિરિરાજ શત્રુજ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001759
Book TitleTithi Vishayak Saral Samjuti
Original Sutra AuthorN/A
AuthorSatya Suraksha Samiti Ahmedabad
PublisherSatya Suraksha Samiti Ahmedabad
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy