SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શું વાત કરો છો સાહેબ! આવી વાત હતી?' હાં, પણ લોકોને મૂર્ખ બનાવવા કીર્તિયશ સૂરિજીએ માત્ર પૂર્વપક્ષવાળો જ ફકરો વાંચી સંભળાવ્યો. તો સાહેબ ! આમાં મૃષાવાદનો દોષ ન લાગે?' એ એમને પૂછજો તમને આ ઘટનાનો ઉત્તરક્રમ જણાવું છું એ સાંભળો, બહુ દિલચસ્પ છે.' ફરમાવો સાહેબ !” હેમચંદ્ર સાગર સૂરીજીને આવી ખબર પડી એટલે તેઓ કીર્તિયશ સૂરિજી સામે ખુલાસો કરવા માંગતા જ હતાં ને યોગાનુયોગ તે જ સમય દરમ્યાન કીર્તિયશ સૂરિજી ફોર્ટમાં આવેલા. અને ત્યાં હેમચંદ્ર સાગર સૂરિજીનો ભેટો પણ થઈ ગયો!' પછી શું થયું સાહેબ !' થાય શું? હેમચંદ્ર સાગરજીએ સામે જ પૂછી લીધું કે તમો ચંદનબાળામાં રાખેલી વાચનામાં આવું બોલેલા?' કીર્તિયશ સૂરિજીએ હા પાડી એટલે તરત જ હેમચંદ્ર સાગરસૂરિજીએ સિદ્ધચક્ર પાક્ષિકનો એ અંક એ પાનું અને એ ફકરો બતાવતાં કહ્યું કે તમે તો માત્ર પૂર્વપક્ષ જ જણાવ્યો છે. એની નીચેના આ સાત ફકરા જુઓ. એમાં તો સ્પષ્ટ જણાવ્યું છે કે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન જ થાય?” ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001759
Book TitleTithi Vishayak Saral Samjuti
Original Sutra AuthorN/A
AuthorSatya Suraksha Samiti Ahmedabad
PublisherSatya Suraksha Samiti Ahmedabad
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy