SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ | તં દેવ દેવમહિએ સિરસાવંદે મહાવીર | || નમો નમ: શ્રી ગુરુ રામચન્દ્રસૂર છે. | તિથિપ્રશ્ન સરળ સમજ वीतराग! सपर्यायास्तवाज्ञापालनं परम् || आज्ञाऽऽराद्धा विराद्धा च शिवाय च भवाय च | અનંત ઉપકારી કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવંત શ્રીમદ્દ હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે – હે વીતરાગ ભગવાન ! તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન મહાન છે કારણકે આજ્ઞાની આરાધનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આજ્ઞાની વિરાધનાથી સંસાર વધે છે. તિથિપ્રશ્ન પણ ભગવાનના આગમાદિ શાસ્ત્રોને અનુસરીને આરાધના કરવી જોઈએ. તેને તિથિનો દિવસ ક્યારે આવે તે નક્કી કરવા માટે શાસ્ત્રોના આધારે વિચાર કરવો જોઈએ. સંવત્સરી, ચોમાસી, પફખી, જ્ઞાનપંચમી, મોનએકાદશી, બીજ, પાંચમાદિ કલ્યાણકાદિ તેમજ ઉપદ્યાનની માળનો દિવસ, નવીનતીર્થની યાત્રાનો પ્રથમ દિવસ, ઈંદ્રમાળ પહેરવાનો દિવસ, ધ્વજ, પ્રતિષ્ઠા વગેરેનો દિવસ ઇત્યાદિ વર્ષના સઘળા દિવસો સામુહિક રીતે કે વ્યક્તિગત રીતે આરાધવાના હોય છે. વ્યકિતગત રીતે જોવા જાવ તો વર્ષના સઘળા ૩૬૦ દિવસ આરાધ્ય બને છે. અને તે તે દિવસ ક્યારે છે તે નક્કી કર્યા વિના આરાધના કેવી રીતે થાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001756
Book TitleTithi Prashne Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherKiran B Shah Mumbai
Publication Year
Total Pages48
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy