SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ પરચા અવલોકન પાછળથી સુરત, વડોદરા વગેરેમાં પણ આ ક્રમ ગોઠવાશે. જ પ્રીતિએજનને આ આખા પ્રકરણથી જૈન સમાજ સાધુસંમેલન પૂર્વે જે બે વિભાગમાં વિભક્ત થ હતા; તેથી પણ વધારે મજબૂત પક્ષોમાં વિભક્ત થઈ ગયો. આમ સમાજમાં શાંતિ સ્થાપવા માટે સરજાયેલ સાધુસમેલનનું કાર્ય નામશેષ બની ગયું. જે સાધુસંમેલનમાં સંધસત્તાને લગતા ઠરાવ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યા હતા તે આ પ્રકરણે કદી ઉત્પન્ન થાત નહિ એ નિસંશય છે. આજ વર્ષમાં ત્રીજો મહત્વનો બનાવ “પર્યુષણું પર્વ કઈ તિથિથી શરૂ કરવાં તે અંગે બજે. મુખ્ય મુખ્ય આચાર્યોએ રવિવારથી પર્યુષાનું શરૂ કરી રવિવારે પૂર્ણ કરવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે મુંબઈ ખાતે બિરાજતા શ્રી વિજયરામચંદ્રસરિએ શનિવારથી પર્યુષણ શરૂ કરી શનિવારે પૂર્ણ કરવાને આદેશ કર્યો. જો કે મા ખમણ વગેરેની તપશ્ચર્યાનાં પચ્ચખાણુ તેમણે પણ રવિવારના પર્યુષણની ગણત્રીને લક્ષમાં રાખીને જ આપ્યાં હતાં. - આ પ્રશ્ન ગંભીર બન્યો અને આ અંગે ડીજીના ઉપાશ્રયમાં સખત તેફાનો થયાં, મારામારી થઈ ને લેહી છંટાયાં. પિલીસને દરમ્યાનગિરિ કરવી પડી ને લાઠીચાર્જ સુદ્ધાં કરવો પશે. સમજુ જૈનેને આ બધાં દશ્ય જોઈને મહાન આધાત પહોંચ્યા. જેનેતર વર્ગમાં પણ જૈન ધર્મની અહિંસાની ખુલ્લે ખુલ્લા ઠેકડી થવા લાગી. સાધુસંમેલનમાં જે તિથિનિર્ણયને લગતા ઠરાવ કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy