________________
દિવસ ઓગણીસમે - નેમિસૂરિજી–તે નિર્ણી કર! જે એગ્ય લાગે તે ઉપાય લે.
પં. રામવિજયજી—આ કલમ અમે ચારેએ મળીને ઘડી હતી, ને નાની દીક્ષા માટે છે એમ ઠરાવ્યું હતું.
આ પછી સાગરાનંદસૂરિજી અને પ• રામવિજ્યજી વચ્ચે પ્રદર્શન શબ્દ ઉપર મીઠું વિવેચન ચાલ્યું હતું.
ઉ. દેવવિજયજી–પુરાણું એટલે શું ?
પં. રામવિજ્યજી–પુરાણ એટલે દીક્ષા છોડીને ફરીથી દીક્ષા લેવા આવેલ હોય તેને પુરાણ કહે છે.
(આ પ્રસંગે એક તરફ રામવિજયજી ગ્રુપમાં, બીજી તરફ દહેગામ ગ્રુપમાં એક જ સાથે પાણીના બે ઘડા કુટયા; એટલે પરસ્પર આ ધડાકા જોઈ હસાહસ થઈ.) આ ચર્ચા વધુ લંબાતી જોઈ ઉ. દેવવિજયજીએ સૂચના કરી કે “આ નિર્ણય સારુ કઈ સભાપતિ નમો.”
નેમિસુરિજી–એક આમ કહે છે, બીજા આમ કહે છે. નિર્ણય થવાને જ નથી. છઠ્ઠી કલમમાં કાંઈ વિરોધ આવતે નથી, માટે કામ આગળ ચલાવો.
ચંદ્રસાગરજી-~ચર્ચા ઉઠશે એમ ધારીને જ અત્રે યોગ્ય પરીક્ષા શબ્દ લખ્યો છે.
વલ્લભસૂરિજી—કાળને નિર્ણય થયે નહીં, તે આગળ શું ચાલવું ? દીક્ષા આપનાર કાણુ એ સવાલને નીકાલ થાય તે, પરીક્ષા આવી જશે. - ભદ્રકવિજયજી–આ વિષયમાં શાસ્ત્રદષ્ટિએ નિર્ણય નહીં થાય તો આગળ વાંધો આવશે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે પરિવર્તન તે કરવું જ પડશે.
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org