________________
દર્શાવી, સાધુ સંસ્થાની ઉન્નતિની અભિલાષા સાથે ગ્રંથની પૂર્ણાહૂતિ કરી છે.
આ ગ્રંથ શ્રમણ સંસ્થાની આજની પરિસ્થિતિને ચિતાર ખડે કરનાર છે, અને તેના કારણે કેઈની સુંવાળી ચામડીને કદાચ દુખકર્તા બને; છતાં પિતે પણ છમસ્થ છે, રાગ અને ષના અભ્યાસી છે, પિતાની પણ ભૂલ હોઈ શકે, અને એ ભૂલનું દર્શન બાળક દ્વારા થાય તે પણ તેને સ્વીકાર કરે જોઈએ; એવા ઋજુ પરિણામી શ્રમણે જરૂર આ અંગે ગ્રંથકર્તાને આભાર માનશે. આ ગ્રંથ એવી રસમય અને વિધેય શિલીથી તૈયાર કરવામાં આવ્યો છે, કે હાથમાં લીધા પછી ભાગ્યે જ બાજુએ મૂકી શકાશે.
આજે સાધુ સમાજમાંથી જ્ઞાન અને ચારિત્રને ઘટાડે થઈ રહ્યો છે; ગૂજરાત છોડી બહારના પ્રદેશમાં વિચરવાની તેમને ઇચ્છા થતી નથી. શિષ્ય, ગ્રંથભંડાર, ઉપાશ્રય આદિન મેહ વધતું જાય છે. સમાજનો મોટો ભાગ આ શિથિલતાઓ સામે પકાર પાડી રહ્યો છે. શ્રદ્ધાનાં તેજ ઓલવાતાં દેખાય છે. તે બધાં સામે આ ગ્રંથ લાલબત્તી ધરે છે. આપણી શ્રમણ સંસ્થા ખરાબા નજીક પહોંચતાં પહેલાં સાવધ બને, એજ ઈચ્છવાજોગ છે.
છેવટે એક વાર ફરીથી આ ગ્રંથના સંપાદકને આવું સુંદર પ્રકાશન સમાજ સમક્ષ રજૂ કરવા બદલ અભિનંદન આપવા સાથે, વાચકોને આ ગ્રંથ ક્ષીરનીર ન્યાયે સાંગોપાંગ વાંચી જવા ભલામણ કરું છું. આશા રાખું છું કે સમાજ આમાંથી સારું તારવી લે, ભૂલ પિછાની લે અને વિકાસના પંથે વળે: હૈદરાબાદસિંધ
વિદ્યાવિજય અક્ષયતૃતીયા ૨૪૬૩, ધર્મ સં. ૧૫. ઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org