SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન-દર્શન-મિથ્યાાાન ૩૫ ઉક્ત લક્ષણ યોગ્ય નથી, કારણ કે સર્વથા સિદ્ધ એવા અતીન્દ્રિય પ્રત્યક્ષને તે લાગુ પડતું નથી, તેથી તે અવ્યાપ્તલક્ષણવાળું છે. 205 પ્રભાચન્દ્ર કહે છે કે, આત્મા, ઈન્દ્રિય, મન અને અર્થનો સંસર્ગ થતાં પાતૃવ્યાપાર અર્થે પ્રાકટથને હેત બને છે. પ્રસ્તુત જ્ઞાતૃવ્યાપારને પ્રભાકરમત પ્રમાણુ માને છે, જે યોગ્ય નથી, કારણ કે જ્ઞાતૃવ્યાપારની સિદ્ધિ પ્રત્યક્ષ કે અનુમાનથી થઈ શકતી નથી.20 સાંખ્ય : સાંખ્યમતાનુસાર પ્રથમ ઈન્દ્રિયો અર્થનું આલેચન કરે છે; પછી મન આચિત અને સ કલ્પ કરે છે; પછી અહંકાર અભિમાન કરે છે અને તે પછી આત્મામાં તેનું ભાન થાય છે.20 7 વિદ્યાનંદ કહે છે કે, ઉક્ત મત યોગ્ય નથી. કારણ કે તે મત અનુસાર જ્ઞાનપ્રક્રિયા યોગિપ્રત્યક્ષને લાગુ પડી શકતી નથી 80 8 પ્રભાચન્દ્ર કહે છે કે, ઈન્દ્રિયે વિષયના સંપર્કમાં આવીને વિષયાકારે પરિણત થાય છે, એવો સાંખ્યમત યોગ્ય નથી, કારણ કે ઈદ્રિયો વિષયાકાર ધારણ કરતી હોય તેવું પ્રતીત થતું નથી.210 બૌદ્ધદશન : બૌદ્ધમત અનુસાર નિર્વિકલ્પજ્ઞાન પ્રત્યક્ષ છે અને તે પ્રમાણ છે 211 અકિલાપવાળી પ્રતીતિ એ કલ્પના છે.218 આથી જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્યની યોજના વિનાનું જ્ઞાન નિવિકલ્પ છે. નિવિકલ્પમાંથી સવિકલ્પકની ઉત્પત્તિ થાય છે. ઉક્ત માન્યતાનું ખંડન કરતાં અકલંક કહે છે કે, બૌદ્ધોએ કરેલા લક્ષણ પ્રમાણે સ્વયં પ્રત્યક્ષનું જ અસ્તિત્વ સિદ્ધ થઈ શકે તેમ નથી, કારણ કે પ્રત્યક્ષ પોતે જ સ્વરૂપભૂત કલ્પનાથી રહિત નથી. નિવિકલ્પક અપૂર્વ અર્થનું ગ્રાહક હોવાથી પ્રમાણ છે એવો બચાવ ચોગ્ય નથી, કારણ કે ઉત્તરોત્તર બધાં જ્ઞાન પ્રમાણ છે. જેમ દીપક પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણમાં સભાનપણે પ્રકાશક છે, તેમ જ્ઞાન પણ પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણમાં સમાનપણે પ્રમાણ છે. જે એવી દલીલ કરવામાં આવે કે દીપક પ્રત્યેક ક્ષણે નવીન પ્રકારત્વ પ્રાપ્ત કરે છે, તે તેને ઉત્તર એ છે કે, એ રીતે જ્ઞાનને પણ પ્રત્યેક ક્ષણે નવીન અર્થનું ગ્રાહક માનવું પડશે, જે પૂવપક્ષીને ઇષ્ટ નથી, કારણ કે તેવું સ્વીકારવાથી સ્મૃતિ, ઈચ્છા, દ્વેષ વગેરેને પણ પ્રમાણમાનવાને પ્રસંગે ઉપસ્થિત થશે, જે પૂર્વપક્ષીને ઈષ્ટ નથી.213 વિદ્યાનંદ સ્પષ્ટતા કરે છે કે, પ્રત્યક્ષજ્ઞાન માત્ર નિર્વિકલ્પ નથી, પરંતુ કર્થચિત નિવિકલ્પ અને કથંચિત સવિકલ્પ છે, કારણ કે બૌદ્ધોએ અવિકલ્પની સમજૂતીમાં એક તરફ નિરૂપણ અને અનુસ્મરણરૂપ વિકલ્પને અસ્વીકાર કર્યો છે, જ્યારે બીજી તરફ વિતર્ક અને વિચા રૂપ વિકલ્પને સ્વીકાર કર્યો છે. વસ્તુતઃ પ્રત્યક્ષજ્ઞાન સવિકલ્પ જ છે, કારણકે તે જાતિ અને સવિકલ્પ અર્થના સામર્થથી ઉત્પન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy