SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬: જેનાંમત જ્ઞાનચર્યા જ્ઞાન થાય છે. 10 આથી અહીં એક સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, જેમ મન અને ચક્ષુ વગેરેના સંબંધથી ચક્ષુરાન આદિ મતિજ્ઞાને થાય છે, તેમ મન:પર્યાયમાં પણ મનને સંબંધ હોવાથી તેને (મનો) મતિજ્ઞાન કેમ ન કહેવું ? આ પ્રશ્નનું સમાધાન એ છે કે જ્યારે “આકાશમાં ચન્દ્ર જુએ', એવું કહેવામાં આવે છે, ત્યારે ચન્દ્રજ્ઞાનમાં આકાશની માગ અપેક્ષા હોવાથી, તે આકાશ બાહૂયનિમિત છે, મુખ્ય કારણ નથી. તેમ મન:પર્યાયમાં મનની મા અપેક્ષા હોવાથી, મન બાહ્યનિમિત્ત છે, મુખ્ય કારણ નથી. (મુખ્ય કારણ આત્મા છે, તેથી તેને મતિજ્ઞાન કહેવાય નહિ. 11 વળી જેમ ચક્ષુજ્ઞાનમાં રહેલા આત્મપ્રદેશને, અવધિજ્ઞાનાવરણના ક્ષમપશમને કારણે, અવવિજ્ઞાન કહેવામાં આવે છે તેમ પિતાના મનમાં રહેલા આત્મપ્રદેશને મન:પર્યાવરણના ક્ષપશમના કારણે મન પર્યાયજ્ઞાન જ કહેવાય, મતિજ્ઞાને નહિ 2. આમ મન પર્યાય એ મને મતિજ્ઞાન નથી એ સિદ્ધ થાય છે. પરંતુ પખંડાગમમાં (પરકીય મન ઉપરાંત) સ્વમને જ્ઞાનને પણ મન:પર્યાયમાં સમાવિષ્ટ કર્યું છે. 13 તેથી ત્યાં મનમતિ અને મન પર્યાયની ભેદરેખા સ્પષ્ટ કરવી ઘટે. આ બાબતમાં એમ માનવું પડે કે મનઃકરણસ્વમનોગત વિચારોનું જ્ઞાન મને મતિજ્ઞાન છે, જ્યારે આતમકરણુક સ્વમને દ્રવ્યનું જ્ઞાન ભવિષ્યમાં આવનાર વિચારનું જ્ઞાન અને ભૂતભવિષ્યકાલીન ભવોનું જ્ઞાન મનપર્યાયજ્ઞાન છે. ૭. મનપર્યાય અને અનુમાન : મન ૫ર્યાયની બાબતમાં એ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે મન:પર્યાયજ્ઞાનને અનુમાન કેમ ન કહેવું ? કારણ કે જેમ ધૂમના કારણે ધૂમ સાથે સંકળાયેલા અગ્નિનું જ્ઞાન અનુમાન છે, તેમ પછીય મનના કારણે મન સાથે સંકળાયેલા અર્થોનું જ્ઞાન અનુમાન જ છે. આ પ્રશ્નનું સમાધાન એ છે કે મનઃ પર્યાય અને અનુમાન ભિન્ન છે, કારણ કે અનુમાન પરોક્ષ છે, જયારે મન-૫ર્યાય પ્રત્યક્ષ છે, કારણ કે તેમાં પ્રત્યક્ષનું લક્ષણ ઘટે છે. * વળી અનુમાનમાં પરોપદેશ અને નેત્રાદિ ઇન્દ્રિયોની આવશ્યકતા રહે છે, જ્યારે મન પર્યાયમાં એ બેની જરૂર નથી. તે 5 આથી મનઃ પર્યાય અનુમાને નથી. ૮. મન પર્યાય અને શ્રુત : | ધવલાટીકાકાર મળેણ ને અથ મતિજ્ઞામ કરીને મન:પર્યાયની પ મતિજ્ઞાનનું અસ્તિત્વ સ્વીકારે છે. 16 આથી ત્યાં એક સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy