SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાન ૧૭૧. માટેની શક્તિ હાય છે તે સંની છે, જ્યારે જેનામાં એવી શક્તિ નથી તે અસની છે.” જિનભદ્ર આદિ આચાર્યાએ 1૦૦ નંદિગત વિચારણાની સ્પષ્ટતા કરી છે. જેમકે હેતુ એટલે કારણ-નિમિત્ત. જિનદાસજી અને હિરભદ્રના મત અનુસાર આલોચન (અભિસન્ધારણ) અવ્યક્ત વિજ્ઞાનથી પ્રાપ્ત થાય છે, જ્યારે મલયગિરિના મત અનુસાર તે વ્યક્ત અને અવ્યકત અને પ્રકારના વિજ્ઞાનથી પ્રાપ્ત થાય છે. શકિત એટલે કારણશક્તિ. તેના ત્રણ અર્થા છે : ક્રિયા માટેનુ સામર્થ્ય, ક્રિયામાં પ્રવૃત્તિ અને કારણુ એ જ શક્તિ. હરિભદ્ર પ્રથમ અથ આપે છે, મલયગિરિ દ્વિતીય અ` આપે છે, જ્યારે જિનદાસણ ત્રણેય અથ` આપે છે. હુભિ શક્તિને અથ સામ કરે છે, જ્યારે મલયગિરિ શક્તિને અથ પ્રવૃત્તિ કરે છે. જિનભદ્ર આદિ આચાર્યંને અનુસરીને મલયગિરિ કહે છે કે, જે જીવ પેાતાના દેહનું પાલન કરવા માટે પોતાનામાં રહેલી કારણશક્તિ વડે વિચાર કરીને આહાર આદિ ઈષ્ટ વસ્તુમાં પ્રવૃત્તિ કરે છે અને અનિષ્ટ વસ્તુમાં પ્રવૃત્તિ કરતા નથી, તે જીવ સંજ્ઞી છે, જ્યારે જેનામાં આવી કારણશક્તિ નથી, તે જીવ અસ'ની છે. જેમકે દ્વિષ્ટન્દ્રિયથી સંમૂતિ પચેન્દ્રિય સુધીના જીવે સન્ની છે, જ્યારે પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવે અસ ની છે. (૨) કાલિકવાદ : નંદિમાં જણાવ્યા અનુસાર જે જીવાને ઇહા, અપેાહ, માગા, ગવેષણા, ચિતા અને વિષ છે તે જીવ સદી છે, જ્યારે જે જીવેાને બૃહા આદિ હોતાં નથી તે જીપ અસંજ્ઞા છે.191 જિનદ્ર આદિ આચાર્યાએ કરેલી સ્પષ્ટતા અનુસાર જે જીવ મન:પર્યાપ્તિવાળા છે, 102 અર્થાત મતિજ્ઞાનસપત્ યુક્ત છે, તે જીવ સત્તી છે, જયારે જેનામાં અલ્પ મનેાલબ્ધિ છે, કે તેના અભાવ છે તે છ અસ'ની છે.1૦૪ જેમકે ગર્ભ વ્યુત્ક્રાન્તિક પુરુષ, દેવ અને નારક 103(ક) આદિ જીવા સની છે. જયારે સંમૂહિમ પ ંચેન્દ્રિય, ચતુરિન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ઇિન્દ્રિય, એકેન્દ્રિય જીવા સજ્ઞી છે.104 ઉક્ત સન્ની વેને દીપપ્રકાશથી થતી સ્પષ્ટ ઉપલબ્ધિતી જેમ અથની સ્પષ્ટ ઉપલિબદ્ધ થાય છે, જ્યારે અસની છવાને અર્થાંની અસ્પષ્ટ ઉપલબિદ્ધ થાય છે. અસ ઝીઝવામાં પણ ઉત્તરાત્તર અસ્પષ્ટ, અસ્પષ્ટતર, અસ્પષ્ટતમ ઉપલબ્ધિ થાય છે. જેમકે પંચેન્દ્રિય કરતાં ચતુરિન્દ્રિયને અસ્પષ્ટતર ઉપલબ્ધ થાય છે. આમ ઉત્તરાત્તર ઉપલબ્ધિ વિશેષ અસ્પષ્ટ બનતી જાય છે. આમ થવાનું કારણ એ છે કે, તે જીવાનું સામર્થ્ય ક્ષયાપશમની ભિન્નતાને કારણે ક્રમશઃ અલ્પ-અલ્પતર-અલ્પતમ . પ્રમાણમાં મને દ્રવ્ય ગ્રહણ કરી શકે તેવું હાય છે અને એકન્દ્રિય જીવેાતે પ્રાયઃ મનદ્રવ્યને! અભાવ હોય છે.1°5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy