SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંમત જ્ઞાનચર્યા પ્રસિદ્ધ છે, તેમ જેનાં, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ઉપલબ્ધ નથી, તેવા ભાષાવર્ગણ પુદ્ગલને પર્યાય શબ્દ નિઃસંદેહ સિદ્ધ છે, ક7 & (વિદ્યાન દ). (૩) સમવાયકારણ :- શબ્દનું સમાયિકારણ આકાશ નથી, કારણ કે (૧) નિપ્રદેશ આધાર (આકાશ નો ગુણ પ્રદેશવૃતિવાળો હોઈ શકે નહિ; 5 1 1 (પ્રભાચ%). (૨) જેમ આકાશની હાજરી હોવા છતાં પૃથ્વી દ્રવ્યના અભાવમાં ગંધની ઉપત્તિ થતી ન હોવાથી ગંધનું સમવાધિકારણે પૃથ્વી છે અને આકાશ નિમિતકારણ છે તેમ વાયુ દ્રવ્યના અભાવમાં શની ઉત્પત્તિ થતી ન હોવાથી વાયુને શબ્દનું સમવાધિકારણું માનવું પડે, પરંતુ વાયુ દ્રવ્યના અભાવમાં પણ મેરુદ ડના સંયોગથી શબ્દની ઉત્પત્તિ થતી હેવાથી વાયુદ્રવ્યને શબ્દનું સમવાયકારણ માની શકાય નહિ આથી વાયુ આદિ અનિયતયા તેનાં સહકારી રૂપ શબ્દપરિણામોગ્ય પુદ્ગલ દ્રવ્ય જ શબ્દનું ઉપાદાન કારણ બની શકે. 87 8 (વિદ્યાનદ). (૩) જે આકાશ એક છે એવું માનવામાં આવે તે તેના ગુણ શબ્દમાં દૂર અને નજદીક એવા ભેદે સંભવી શકે નહિ, પરિણામે લાખ યોજન દૂરથી પણ સંભળાવું જોઈએ; 57 8 (ક) અને જે આકાશ અનેક છે એવું માનવામાં આવે તો વદનાકાશમાં ગુણ અને શ્રોત્રેન્દ્રિયાકાશ સાથે સંબંધ નથી. જો આકાશમાં ઉપલબ્ધ થવાના કારણે તેને આકાશને ગુણ માનવામાં આવે તો રૂ આદિ પણ આકાશમાં ઉપલબ્ધ થતાં હોવાથી તેઓને પણ આકાશનો ગુણ માનવાં પડશે. એ બચાવ કરવામાં આવે કે રૂ આદિનું વાસ્તવિક સ્થાન પૃથ્વી છે, પણ પવનને લીધે તેઓ આકાશમાં ઉપલબ્ધ થાય છે, તે શબ્દનું પણ વાસ્તવિક સ્થાન શ્રોત્ર આદિ છે, પણ વાયુથી સંચારિત થવાના કારણે તે આકાશમાં ઉપલબ્ધ થાય છે. 579 (મલયગિરિ). (૪) અચાક્ષુષપ્રત્યક્ષત્વ :- જે શબ્દ અચાક્ષુષપ્રત્યક્ષ હેવાથી તે દ્રવ્ય કે કમ નથી એમ કહેવામાં આવે, તે વાયુ પણ અચાક્ષુષપ્રત્યક્ષ હોવાથી તેને પણ તેવો માનવો પડશે. 5 8 9 ( વિદ્યાનંદ ). (૫) દ્રવ્યત્વ – શબ્દનું ગુણત્વ અસિદ્ધ છે, કારણ કે તે અંગેના સાધક પ્રમાણને અભાવ છે. 5 81 તે ગુણ નથી, પણ દ્રવ્ય છે, કારણ કે તેનામાં ગુણ અને ક્રિયાનું અસ્તિત્વ છે. ગુણ અને ક્રિયાવાળા હોવું તે દ્રવ્યનું લક્ષણ છે 5 82 શબ્દમાં ગુણ છે, કારણ કે શબ્દ એ પશે, અપવ મહત્તત્વ પરિમાણ, સંખ્યા અને સંગને આશ્રય છે. 5 83 તેનામાં ક્રિયાનું અસ્તિત્વ છે 8 4 કારણ કે તે બાણની જેમ એક સ્થળને ત્યાગ કરીને બીજા સ્થળે પ્રાપ્ત થાય છે. 5 5 5 (પ્રભાચ%). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy