SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન ૧૫ અનુક્યા છે, જેમકે સાકરનું ચાક્ષુષપ્રત્યક્ષ થતાં તેના રસનું પણ જ્ઞાન થવું તે.49 8 અકલંક ઈન્દ્રિયપ્રત્યક્ષને પણ ઉક્ત કહે છે. પૂજ્યપાદ સ્પષ્ટતા કરે છે કે, ઉક્ત અને નિઃસૃતમાં સમસ્ત પુદ્ગલેનું નિસ્સરણ સમાન છે, પરંતુ ભેદ એ છે કે, ઉક્તમાં પોપદેશ પૂર્વક પ્રહણ થાય છે, જ્યારે નિઃસૃતમાં સ્વતઃગ્રહણ હોય છે. અકલંકે આ ભેદરેખાનું સમર્થન કર્યું છે. ધવલાટીકાકારના મતે ઉક્તમાં નિઃસૃત અને અનિઃસૃત બન્નેને અંતર્ભાવ થત હોવાથી ઉક્ત અને નિઃસૃત ભિન્ન છે. અનત અને અનિઃસૃતની ભેદરેખા સ્વયંસ્પષ્ટ હોવાથી પૂજ્યપાદ આદિને તેની સ્પષ્ટતા કરવાની જરૂર જણાઈ નથી, બને ભેદોમાં વસ્તુનો બહાર નહીં નીકળેલાં પુગલનું જ્ઞાન સમાન છે, પરંતુ ભેદ એ છે કે, અનિઃસૃતમાં વસ્તુના અ૫ભાગનું જ્ઞાન આવશ્યક છે, જ્યારે અનુક્તમાં વસ્તુના અ૫ભાગનું જ્ઞાન આવશ્યક નથી. ધવલાટીકાકારે કરેલા અર્થઘટન અનુસાર અનુક્ત અને અનિઃસૃત સ્પષ્ટત્યા ભિન્ન છે. તેઓ એવી પણ સ્પષ્ટતા કરે છે કે, અદુષ્ટ, અમૃત અને અનનુભૂત વસ્તુને ઇન્દ્રિય અનુક્તનો વિષય છે. (ખ) મનિશ્ચિત-નિશ્ચિત - જિનભટ્ટે કરેલી સ્પષ્ટતા અનુસાર સંદિગ્ધજ્ઞાન (સંશય) અનિશ્ચિત છે, જ્યારે અસંદિગ્ધજ્ઞાન નિશ્ચિત છે. હરિભદ્ર, મલયગિરિ અને યશોવિજયજીએ એનું સમર્થન કર્યું છે 499 સંશય (અનિશ્ચિત) અને વિપર્યય જિનભક સંમત દ્વિતીય અર્થઘટન અનુસાર નિશ્ચિત) જ્ઞાનરૂપ છે. એવી સ્પષ્ટતા જ્ઞાન-દર્શન-મિથ્યાજ્ઞાન પ્રકરણમાં થઈ ગઈ છે. અકલંકના કાળમાં કેટલાક આચાર્યો એવું માનતા હતા કે, અનિઃસૃત અને અનુક્તમાં બહાર નહીં નીકળેલાં પુદ્ગલેનું જ્ઞાન થતું હોવાથી આ બને ભેદો પ્રયકારી ચાર ઇન્દ્રિયોને માટે શક્ય નથી. અકલંક એનું સમાધાન કરતાં કહે છે કે, કીડીને દૂરથી ગોળના રસનું જ્ઞાન થાય છે તેથી પ્રાપ્તકારી ઇન્દ્રિથી ઉપર્યુક્ત જ્ઞાન શક્ય છે. વિદ્યાનંદ એવી સ્પષ્ટતા કરે છે કે, નહીં નીકળેલા પુગલને સૂક્ષ્મસ્પર્શ શ્રોત્રાદિ ચાર ઈન્દ્રિયને થતું હોવાથી તે ઇન્દ્રિયોથી અનિઃસૃત અનુક્તજ્ઞાન શક્ય છે. વળી, આ જ કારણસર તે ચાર ઈન્દ્રને અગ્રાયકારિત્વ પણ પ્રાપ્ત થવાને પ્રસંગ આવતો નથી. 500 અકલંક એક બીજી યુક્તિનો પણ ઉપયોગ કરતાં કહે છે કે, અનિઃસૃત અને અનુક્ત જ્ઞાન - શ્રતાપેક્ષી છે. યુનજ્ઞાનના શ્રોવેન્દ્રિય લધ્યક્ષર આદિ છે ભેદે છે તેથી ઉક્ત છે ચે ઈન્દ્રિયોથી એ બને જ્ઞાને શકય બને છે. ૪. ' ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy