SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધના મૂળ ઉપદેશનાં નિર્ણાયક સાધન આપણને દરવણી આપનાર પ્રકાશ છે. આ પ્રકાશ આપણને વૈદિક ઋષિઓએ આપ્યું છે. તેમની સમક્ષ પણ વેદવચનોની બાબતમાં આ સમસ્યા ઊભી થઈ હતી. તેમણે કહ્યું છે કે ચિન્તમાન મંત્રના અર્થને શ્રુતિપરમ્પરા અને બુદ્ધિની મદદથી કાઢી શકાય. જે ઋષિ કે તપસ્વી નથી તેને અર્થ પ્રત્યક્ષ થતો નથી. અને આ રહી એક નીતિકથાઃ “જ્યારે ઋષિઓ એક પછી એક મૃત્યુ પામવા લાગ્યા ત્યારે મનુષ્યએ દેવો પાસે જઈને પૂછયું : અમારો ઋષિ કોણ બનશે? તેમણે તેમને તર્કશાસ્ત્ર ઋષિ તરીકે આપ્યું, જેની મદદથી મંત્રના અર્થને તેઓ બધી રીતે સમજી શકે. તેથી વેદમાં પારંગત માણસ જે કંઈ અર્થ સર્વતભાવે નક્કી કરે છે તેને આર્ષ કહેવામાં આવે છે. ' બુદ્ધના નિર્વાણની પહેલાં જ બુદ્ધ અને આનંદ વચ્ચે જે સંવાદ થયેલો તેને આ સંદર્ભમાં આપણે યાદ કરીએ: “હે આનંદ! કદાચ તમારામાંના કેટલાકના મનમાં એવો વિચાર આવે કે “ગુરુનું વચન અન્ત પામ્યું, હવે આપણો કઈ ગુરુ નહિ!” પરંતુ હે આનંદ! એમ ન સમજીશ. મેં જે ધર્મ અને વિનય(= સંઘના નિયમ)ની દેશના આપી છે, વિધાન કર્યું છે. તેને જ મારા મૃત્યુ પછી તમારા ગુરુ થવા દો.” આ બને વિધાનો-એક બ્રાહ્મણ પરમ્પરાનું અને એક બૌદ્ધ પરમ્પરાનું – આપણા ભેમિયા છે. અને તેમની સાથે આપણે બૌદ્ધધર્મદર્શનની પાયાની પ્રતીતિની બેજ માટે આગળ ધપીએ. આ સમસ્યાનું નિરૂપણ કરવાનું મેં બીજા વ્યાખ્યાનમાં ધાર્યું છે. ૬૬. નિરુત-પરિશિષ્ટ, ૧૩.૧૧. ૬૭. મહાપરિનિબ્બાનુસુત્ત, ૬.૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org ww
SR No.001531
Book TitleBuddha Dharma Darsanani Payani Vibhavana
Original Sutra AuthorVidhushekhar Bhattacharya
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy