SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ શકા ૭ : પ્રતિક્રમણની ક્રિયામાં ચતુર્વિં શતિ–સ્તવ, ગુરુવંદન, કાયાત્સગ અને પચ્ચક્ખાણુની શી આવશ્યકતા છે? સમાધાનઃ—પ્રતિક્રમણ જેમ સામાયિકનું અંગ છે, તેમ ચતુર્વિશતિ–સ્તવ આદિ પણ સામાયિકનાં અગે છે સામાયિકરૂપી સાધ્યની સિદ્ધિ માટે જેટલી આવશ્યકતા પ્રતિક્રમણરૂપી સાધનની છે, તેટલી જ ચતુર્વિશનિસ્તવ આદિની છે. બીજી રીતે કહીએ તે ચતુર્વિશતિસ્તવ આદિ સામાયિકના જ ભેદે છે, તેથી સામાયિકથી જુદા નથી. એટલે પરસ્પર સાધ્ય—સાધનભાવરૂપે રહેલાં છે. જેમ સામાયિકનું સાધન ચતુર્વિં શતિ-સ્તવ આદિ છે, તેમ ચતુર્વિં શતિ–સ્તવ આદિનું સાધન સામાયિક છે, અથવા ગુરુવંદન છે, અથવા પ્રતિક્રમણ છે. અથવા કાયાત્સગ છે. અથવા પચ્ચક્ખાણુ છે. પચ્ચક્ખાણુથી જેમ સમભાવલક્ષણ સામાયિક વધે છે, તેમ સામાયિકથી પણ આશ્રવનિરોધરૂપ કે તૃષ્ણાછેદરૂપ પચ્ચક્ ખાણુ-ગુણુ વૃદ્ધિ પામે છે. અથવા સામાયિકથી જેમ કાયાત્સગ એટલે કાયા ઉપરથી મમતા છૂટીને સમતા પ્રાપ્ત થાય છે, તેમ કાર્યોત્સર્ગ-કાયા ઉપરના મમત્વના ત્યાગ, એ પણ સમભાવરૂપ સામાયિકની જ પુષ્ટિ કરે છે. એ જ રીતે, ત્રિકાલવિષયક સાવદ્યચેાગની નિવૃત્તિરૂપ પ્રતિક્રમણ જેમ સામાયિકથી સિદ્ધ થાય છે, તેમ સાક્ષાત્ સાવદ્યયેાગની નિવૃત્તિના પચ્ચક્ખાણુરૂપ સામાયિકથી પ્રતિક્રમણની પુષ્ટિ થાય છે. સમભાવલક્ષણ સામાયિક જેમ સમભાવપ્રાપ્ત સુગુરૂની આજ્ઞાના પાલનરૂપ ભક્તિનું પ્રયાજક . છે. તેમ સમભાવપ્રાપ્ત સુગુરુના વદનરૂપ વિનય પશુ સમભાવરૂપ સામાયિક ગુણુને વિકસાવનાર છે. એ રીતે છએ આવશ્યક પરસ્પર એકબીજાના સાધક છે. તેથી તે છએ એકઠા મળીને ચારિત્રગુણની પુષ્ટિ કરે છે. અથવા ચારિત્ર એક જેને વિભાગ છે, એવા ( પંચાચારમય ) પચવિધ મુક્તિમાર્ગનુ તેથી મારાધન થાય છે. શ્રીજિનેશ્ત્રવે ક્માવેલા મુક્તિમાગ એ . For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001526
Book TitlePratikramanni Pavitrata
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Dhurandharvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages68
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Sermon, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy