SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ : સમાધાન ઃ પ્રતિક્રમણના હેતુ અશુભ યેાગથી નિવૃત્તિના છે. તેથી જેમ અતીતકાલના દોષનું પ્રતિક્રમણ નિંદદ્વારા—થાય છે. તેમ વર્તમાન કાળના દોષનું પ્રતિક્રમણ સ’વરદ્વારા અને અનાગત કાળના કોષનુ પ્રતિક્રમણ પચ્ચક્ખાણદ્વારા થઈ શકે છે, કારણ કે સંવર અને પચ્ચક્ખાણ ઉભયમાં અશુભયોગની નિવૃત્તિ પ્રધાન છે. શંકા ૪ઃ પ્રતિક્રમણ વખતે સામાયિક લેવાની શું જરૂર છે ? સમાધાન : શાસ્ત્રમાં સામાયિક ચાર પ્રકારનાં કહ્યાં છેઃ સમ્યક્ત્વ-સામાયિક, શ્રુત–સામાયિક, દેશવિરતિ–સામાયિક અને સર્વવિરતિ-સામાયિક. પ્રતિક્રમણ કરનારમાં સમ્યક્ત્વ-સામાયિક અને શ્રુત–સામાયિક સંભવે છે, સમ્યક્ત્વ-સામાયિક એટલે મિથ્યાત્વ-મલને પગમ અને તેથી ઊપજતી જિનવચનમાં શ્રદ્ધા. શ્રુત–સામાયિક એટલે જિનાક્તતત્ત્વોનું સક્ષેપથી કે વિસ્તારથી જ્ઞાન અને તેથી ઊપજતા અવિપરીત એધ, દેશિવરિત સામાયિક એટલે પાપની આંશિક નિવૃત્તિરૂપ પ્રયત્ન. સર્વવિરતિસામાયિક એટલે પાપથી સર્વાશ નિવૃત્તિ કરવારૂપ પ્રયત્ન. એ ચારે ય પ્રકારના સામાયિકથી વ્યુત થવુ તે ઔયિકભાવ છે. એ દિયક ભાવમાંથી અર્થાત્ પરભાવમાંથી ખસીને, ફ્રી પાજી, સામાયિકરૂપી ક્ષાયે પશમક ભાવ અર્થાત્ આત્મભાવમાં જવું તે પ્રતિક્રમણ છે. આ ઉપરથી પ્રતિક્રમણ વખતે સામાયિક લેવાની જરૂર શા માટે છે? તે સ્પષ્ટ થાય છે. સામાયિક એ સાધ્ય છે અને પ્રતિક્રમણ એ સાધન છે. તેથી સામાયિકરૂપી સાધ્યને લક્ષમાં રાખવાપૂર્વક જ પ્રતિક્રમણની ક્રિયા કરવી જોઇએ, એવુ શાસ્ત્રકારાનુ વિધાન છે. શકા પઃ જેને અતિચાર લાગે તે જ પ્રતિક્રમણ કરે, ખીજાને પ્રતિક્રમણ કરવાની શી જરૂર છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001526
Book TitlePratikramanni Pavitrata
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Dhurandharvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages68
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Sermon, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy