SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જવા માટે નહિં. સાધ્યને ભૂલી ગયા પછી સાધન એ સાધન જ રહેતું નથી. દયાને પુષ્ટ બનાવવા માટે જ્ઞાનને ભા. અહિંસાને દૃઢ બનાવવા માટે જ્ઞાનને આદર આપેા. એ અહીં તાત્પ છે. દયાના આદર્શ રાખીને જ્ઞાનને ભણવાનું છે. યાને છેડીને જ્ઞાન ભણવાના ઉપદેશ નથી. અહીં દયા એ ચારિત્રનું ઉપ લક્ષણ છે. એ જ વાત ક્રિયા માટે છે. ક્રિયાને ટકાવવા માટે જ્ઞાન ભણા. ક્રિયા વિના કે ચારિત્ર વિના માક્ષ નથી, માટે એવું જ્ઞાન ખૂબ ભણા કે—જેથી ચારિત્ર અને ક્રિયા સુદઢ થાય, પ્રતિક્રમણની ક્રિયા પણ ચારિત્રની શુદ્ધિ માટે છે. જેમ ચારિત્ર વિના મેાક્ષ નથી, તેમ પ્રમાદગ્રસ્ત અને દાષાથી ભરેલા જીવાને, એ દાષાની વારંવાર શુદ્ધિરૂપ પ્રતિક્રમણ કર્યા વિના ચારિત્ર પણ નથી. જૈન શાસ્ત્રકારાના એ ભારપૂર્વક ઉપદેશ છે કે કેવલ ભાવનાથી કે કેવળ તત્ત્વજ્ઞાનના બળથી કાઈ જીવાના મેાક્ષ થયા નથી, થતા નથી, કે થવાના નથી. સદ્ગતિ કે મોક્ષના મુખ્ય આધાર એકલું જ્ઞાન નહિ પણ જ્ઞાનયુક્ત ક્રિયા છે. જ્ઞાન તા કેવળ ક્રિયાને ઉત્તેજક તથા શુદ્ધ કરનાર છે. જે જ્ઞાનથી તે કાર્યં ન થઈ શકે તે જ્ઞાન વાંઝિયું છે, નિષ્ફળ છે. શૂન્યવત્ છે. જ્ઞાનસ્ય વિરતિઃ પ્ર. ૬, ૧૧, ૭૨ | નિયુક્તિકાર શ્રીભગવાન ભહુસ્વામી ફરમાવે છે કેઃ— શ્રુતજ્ઞાનમાં થતા જીવ જો તપ અને સયમમય ચેાગેને કરવાને અસમર્થ હોય તે તે મેસને પામતા નથી. આગળ ચાલતાં તેઓશ્રી ક્માવે છે કે:— જ્ઞાનરૂપી નિર્યામક પ્રાપ્ત કરવા છતાં જીવરૂપી પાત ( નાવ ), તપસંયમરૂપી પવન વિના, સ`સારસમુદ્રના પારને–મુક્તિસ્થાનને પામી શકતા નથી. સ'સારસાગરને વિષે મનુષ્યભવ આદિ સામગ્રી પામીને, કાંઈક ઊંચા આવ્યા પછી, અને ઘણું જાણવા છતાં જો ચારિત્રગુણથી હીન રહ્યો, તે। કી મૂડી જઈશ. ચારિત્રગુણથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001526
Book TitlePratikramanni Pavitrata
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Dhurandharvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages68
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Sermon, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy