________________
૭૮૪
અન્તમાં એક દિવસ ચતુર કુલપુત્રના ઘરમાં ચોરી કરતા ચોરોને પકડવાને માટે દેરડાની ફાંસી રાખી, અને ગાનુગ સન્યાસી જ એમાં ફસાઈ ગયા અને બાકી બીજા બધા ચેરો ભાગી ગયા, દિવસે એને રાજાની સમક્ષ હાજર કર્યો, રાજસુભટોએ ચાબુકના માર મારી બધી વાતો કઢાવી બીજા સાથી ચેરોને પણ પકડાવી બધું ધન કઢાવ્યું, અને એને લંડે ફેડે. શહેર-ગામમાં સર્વત્ર પ્રજામાં જાહેર કર્યું. અને સંન્યાસી તેમજ ચોરોને નગરમાં પ્રજાની વચ્ચે ધૂમાવ્યા, અને કહ્યું આજ ચેર છે. સન્યાસીપણું એ આને ઢોંગ છે. ક્યુટ ચારિત્ર છે. આને આ અનર્થકદંભ છે બીજુ કંઈ નથી. અસલી નામને ફાયદો ઉઠાવવા અને ધર્મની ભગવાનની ગુરુની લોકોને સાચી શ્રદ્ધા છે. એને ફાયદો ઉઠાવવા ના હેતુથી માયામૃષાવાદી લોકોની શ્રદ્ધાને ફાયદો ઉઠાવવા માટે વિશ્વાસઘાત કરે છે. દંભી દંભનું સેવન કરે છે. જંગલમાં મરેલા સિંહની ખાલ પહેરી એક કુતરો અથવા શિયાળ પણ પોતાને સિંહની ગણતરીમાં ગણે છે. હું સિંહ છું એ દેખાડી અન્ય પશુ પક્ષીઓને ડરાવવાનું વગેરે કામ કરે છે. આ તિર્યંચગતિના પશુ પક્ષીઓમાં પણ માયા-કપટની વૃતિ થઈ. માયા મૃષાવાદીનું લક્ષણ :
अलसो सढोडवलितो, आलंबण-तप्परो अइयमाई । एवंठिओ वि मन्नई, अप्पाणं सुट्टिओ मि त्ति ।। जे विय पाडे उणं, मायामोसेहिं खाई मुखजण । तिग्गाम-मज्झवासी, सो सोअइ कवडखवगुव ॥
માયા મૃષાવાદી કેવો હોય છે? આ વિષયમાં પુજ્ય ધર્મદાસ ગણિજી ઉપદેશમાલા ગ્રંથના આ શ્લોકમાં કહે છે. આળસી, પ્રમાદી, કપટવૃત્તિવાળા કપટી, શેઠ, અહંકારી તથા નાનુ બહાનુ મળતાં જ સ્વાર્થવશ સર્વ કાર્યોમાં તરત અપવાદનું સેવન કરવાવાળા, અત્યન્ત નિદ્રાળુ, બીજા પ્રમાદગત દોષવાળા તથા સ્વયં દોષ–દુર્ગુણોથી ભરેલ હોવા છતાં ગુણવાન સમક્ષ પણ પિતાના ગુણનું સ્વરૂપ દેખાડી, પિતાનામાં ગુણ ન હોવા છતાં દેખાડી ગુણવાની કક્ષામાં ખપવાની બાલીશ ચેષ્ટા કરવાવાળી સ્વપ્રશંસા અતિરેક સહિત કરવાવાળી એવી વ્યક્તિ માયાવી સમજવી જોઈએ. એવા કપટી, દંભીને મોટું નુકશાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org