SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ર. ૪૫ આગમાં ૧૧ અંગસૂત્રમાંના બીજા અંગસૂત્ર સૂત્રકૃતાંગના પ્રથમ અધ્યયનના બીજા કલેકમાં ભગવાને વસ્તુ બે પ્રકારની બતાવી છે. વસ્તુ (સચિત્ત) સજીવ (અચિત્ત) નિર્જીવ (૧) સજીવ વસ્તુઓમાં મનુષ્ય-સ્ત્રી, નેકર-ચાકર, પશુ, પક્ષી વગેરે જીવિત પ્રાણીઓની ગણત્રી કરાઈ છે. (૨) નિજીવ (અચિત્ત) વસ્તુઓમાં ધન-ધાન્ય, સોનું, ચાંદી, વાસણ, મકાન, ક્ષેત્ર-ભૂમિ, ખેતી વાડી, વાહન, બિસ્તરે, કપડા, કબાટ, ખુરશીટેબલ-ટીપેઇ.વગેરે અનેક પ્રકારની સાધન સામગ્રી છે. આ બધી નિર્જીવ વસ્તુઓ ગણાય છે. આ વસ્તુઓને પિતાની બનાવવી. લાવીને, ખરીદીને પિતાની માલિકીમાં રાખીને, તેના ઉપર પોતાને હક જમાવીને અને હુકમઆજ્ઞા ચલાવવાથી તેમ તેના માલિક સ્વામી છે તે ભાસ થાય છે. એ રીતે રવયં પણ માલિક બને છે અનેક વસ્તુઓના ભકતા-સ્વામી બને છે તેવી રીતે બીજાને પણ સંમતિ આપે છે. આવી રીતે બંને પ્રકારના દુખથી મુક્ત નથી થઈ શકતા. આ રીતે પ્રભુ મહાવીરે કહ્યું છે ! बुझिज्जंति तिउट्टिज्जा, बंधणं परिजाणिआ । આ વિદિ ચંપળ વારે? જિં જા જ્ઞાનું ઉત્તર શા શ્રી સૂત્રકૃતાંગ સુત્ર નામના બીજા આગમની શરૂઆતમાં સુધર્મા. સ્વામી ગણધર મહારાજ પોતાના શિષ્ય જંબુસ્વામીને પ્રભુ મહાવીર સ્વામીએ આપેલો ઉપદેશ આપતા કહે છે–મનુષે બેધ પ્રાપ્ત કરે જોઈએ અને તે બાધ (જ્ઞાન) થી બંધનનું સ્વરૂપ જાણીને તેને તોડવું જોઈએ. આ શરૂઆતને ઉપદેશ સાંભળીને જંબુસ્વામીએ ગુરૂજીને પ્રશ્ન કર્યો કે, “હે ઉપકારી ગુરુદેવ! શ્રી વીરપ્રભુએ બંધન કેને કહ્યું છે? શું જાણવાથી જીવ બન્ધનને તેડે છે.?” “નિરામંતરિરા” –આને જવાબ આપતાં સુધર્માસ્વામીએ કહ્યું કે–પરિગ્રહ એક બંધન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001493
Book TitlePapni Saja Bhare Part 08
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy