________________
૩૪૦
સ્વરૂપ બદલાઈ જાય છે અર્થ બદલાઈ જાય છે. આ રીતે “પરિ’ સમન્તાત્ ઉપસર્ગ ચારેબાજુથી સર્વ બાજુથી... આ અર્થમાં છે. ગ્રહ ધાતુની સાથે “પરિ” ઉપસર્ગ લાગવાથી પરિગ્રહ શબ્દ બને છે. પરિગ્રહ આમ તે સંગ્રહ અર્થ બતાવે છે. રાગવૃત્તિથી મેહમમવ બુદ્ધિથી પૌગલિક પદાર્થોનો સંગ્રહ કરે. જરૂરીયાતથી પણ કયારેક વધારે પદાર્થો ભેગા કરવા, અને તીવ્ર મમત્વ ભાવથી તેમને સંભાળવા, તેમની માવજત કરવી તે પદાર્થોમાં આસક્તિ મૂછ
એ જ પરિગ્રહ છે. જો કે તે પદાર્થ ક્ષણિક છે, નાશવંત છે, પગલજન્ય પૌગલિક છે. તે પણ તીવ્ર આસકિત રાખવી. તીવ્ર રાગ રાખ એ પરિગ્રહ છે. વસ્તુઓને સંચય, પદાર્થોનો સંગ્રહ અને તે ઉપર તીવ્ર રાગથી મારાપણાનું મમત્વ ન છેડવાની મૂછ, ભેગવવાની આસકિત જ “પરિગ્રહ છે. અત્યંત પદાર્થ રાગ જ નુકશાનકારક છે. મેહ મમત્વનો અનાદિ મંત્ર
अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्घकृत् ।। अयमेव हि नजपूर्वी प्रति मन्त्रोऽपि मोहजित् ॥
જ્ઞાનસારમાં ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે છે કે...... અનાદિ અનંત કાળથી આ જીવ એક એવા મહામંત્રનો જાપ કરી રહ્યો છે કે તે આજે પણ છૂટ નથી! નવકાર જેવા મહામંત્રથી પણ વધારે શાશ્વત. એવા મોહનીય કર્મના મંત્ર પ્રત્યેક જીવ અનાદિઅનંતકાળથી જપી રહ્યા છે કે જેને કોઈ અંત આજ દિવસ સુધી નથી આવ્યા એવું લાગે છે. સતત રટણ, પ્રતિદિન એને જાપ ચાલુ જ છે. તે મંત્ર છે. હું અને મારુ” “ હું મમ” ને માળાની જેમ સતત જાપ અખંડરૂપથી એને જાપ પ્રતિદિન પ્રત્યેક જીવ પ્રત્યેક જન્મમાં કરતે આવ્યું છે, ભિન્ન ભિન્ન ભાષા બેલનારાઓ શબ્દ પરિવર્તન કરીને પતિપિતાની ભાષાના શબ્દોમાં ગોઠવે છે. પરંતુ કોઈપણ રીતે જાપ તો જરૂરથી કરે છે. કે ઈ સંસકૃતમાં “બહું મમ' કહે છે. કેઈ ગુજરાતીમાં હું અને મારુ”, કોઈ અંગ્રેજીમાં “I and my હિંદીમાં ક ર મેરા’ અને મરાઠી ભાષામાં “શી મણિ મા’ આ રીતે પિત–પિતાના શબ્દોમાં સર્વ જી રટણ કરે છે. હું અને મારે પરિવાર, મારું ઘર, મારી પત્ની, મોરા બાળ બચ્ચાં, મારા કપડાં, ગાડી, મારા પૈસા આ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org