________________
૫૩
આ પ્રમાણે આત્મા કર્મ બાંધે છે છતાં એમ બેલાય છે કે કર્મ લાગે છે, કર્મ બંધાય છે. આ ઔપચારિક ભાષા પ્રયોગ છે. કાશ્મણ વગણા સ્વયં જડ છે. પુદ્ગલ પદાર્થના પરમાણુ સ્વરૂપ છે, તે નિષ્ક્રિય છે, ચેતન આત્મા રાગાદિ ક્રિયા કરીને તેને આકર્ષે છે ત્યારે તે
સ્વયં ચાટે છે અને કર્મરૂપે પરિણમે છે. જેમ કે ઈ પુસ્તકમાં સે પાના હોય તે તે સ્વયં ચેટી જતા નથી પણ ગુંદર જેવા પદાર્થ દ્વારા તે ચોંટે છે. કર્મને ચટવાનું નિમિત્ત-સાધન આત્માન રાગાદિભાવ છે. જો કે આવા ભાવ સંસારી જીવને હોય છે. મુકાત્મામાં જ હોય.
મુકતાત્મા સિદ્ધશીલા પર નિશ્ચિત આકાશપ્રદેશ પર અનંતકાળ સુધી માત્ર આત્મસ્વરૂપમાં સ્થિર છે. તે અશરીરી છે. તેમને રાગાદિ કોઈ જ ભાવ નથી, તે વીતરાગ, સર્વજ્ઞ, સવદશી છે. તેથી કામણવણાને આકર્ષણ કરવાવાળી ચિકાશ તેમની પાસે નથી. તેથી તેમણે કમ કેવી રીતે ચોટે ? ત્યાં કર્મબંધની પ્રવૃત્તિ સર્વથા નાશ થયેલી છે. તેથી તે મુક્તાત્માઓને જન્મ મરણ સર્વથા અસંભવિત છે. જન્મ-મરણતો સંસારી અવસ્થામાં જ સંભવિત છે.
જડ પુદ્ગલ પરમાણુના સમૂહરૂપ કાર્મણદિવર્ગણાઓ આમાના રાગાદિ ભાવ દ્વારા આકર્ષાઈને ચોટે છે. અને તે સ્વયં શુભ અને અશુભ રૂપે પરિણમે છે, તેના ઉદયકાળે જીવ દેહના એકવ ભાવને કારણે સુખી દુઃખી થાય છે. કોઈ ઈશ્વર આપણને કમનું ફળ દેવા સમર્થ નથી, કે સુખી દુઃખી કરી શકતા નથી. આ કાર્મણવર્ગણાના આગમનને આશ્રવ કહે છે.
આશ્રવના ભિન્ન ભિન્ન માર્ગ અને ભેદ
એક ઉદાહરણથી આશ્રવ તત્વને સમજવા પ્રયત્ન કરીશું. જેમ પહાડોથી ઘેરાયેલી કેઈ ખાઈમાં ચારે દિશાઓ થી પાણી એકઠું થાય છે. આ પાણીનું આવવું તે આશ્રવ છે. તે પ્રમાણે આત્મામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org