SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મબંધના મુખ્ય પાંચ કારણ છે તેનાં અવાંતર ભેદ ૨૨ છે. જેમ માત્ર ઘઉંના લોટ પર વેલણ ફેરવવાથી રોટલી બનતી નથી. સીમેન્ટને ઢગલે કરવાથી થાંભલે બનતું નથી. તે તે પદાર્થોમાં પાણી વગેરે નાંખવાનું પ્રજન હોય છે ત્યારે કાર્ય સિદ્ધ થાય છે. તે પ્રકારે આશ્રવ માગ દ્વારા ગ્રહણ થયેલી કાર્મણ વર્ગણાઓના પુદ્ગલ પરમાણુઓ આત્મ પ્રદેશે સાથે ભળીને એક રસ બને છે તે બંધ તત્ત્વનું કાર્ય છે. અને જેમ દૂધને ગળ્યું બનાવવા તેમાં સાકર નાખવામાં આવે છે. તે પ્રમાણે આત્માના ગુણેને આવરણ કરવા માટે કર્મ બાંધવાને મુખ્ય મિથ્યાત્વાદિ પાંચ હેતુઓ છે. અર્થાત્ દ્વધ સ્વભાવતઃ મેળું છે. સાકરના વેગથી ગળપણવાળું થાય છે તેમ આમાં સ્વાભાવિકપણે અબંધક છે પણ કર્મના સંગે બંધનવાળો થાય છે. (૧) મિથ્યાત્વ – મિથ્યાજ્ઞાન-મિથ્યાત્વ. મિથ્યાને અર્થ છે. વિપરીત જ્ઞાન મિથ્યા માન્યતા. વસ્તુનું સ્વરૂપ યથાર્થ પણે જાણવું તે સમ્યમ્ માન્યતા છે. અસત્ ને સત માનવું તે મિથ્યા માન્યતા છે. જેમકે અસત દેવને સદેવ તરીકે માનવા અને સતદેવને અસત્ દેવ માનવા, તે પ્રમાણે અસત્ ગુરુ કે અસત્ અધર્મને સત્વગુરુ કે સત્ ધર્મ માનવા, અને સતગુરુ તથા સધર્મને અસગુરુ કે અસધર્મ માનવે. આ સર્વ મિથ્યા માન્યતા છે તેના પાંચ પ્રકાર છે. મિથ્યાત્વ અભિગ્રહિક, અનભિગ્રહિક, અભિનિવેશિક, સાંશયિક, અનાભોગિક (૧) અભિગ્રહિક – હું જે જાણું છું તે સાચું છે તેથી આગ્રહ, દુરા ગ્રડ કે કદાગ્રહ, અભિગ્રહિક મિથ્યાત્વ છે. (૨) અનાભિગ્રહિક – સર્વ ભગવાન સમાન છે. કેઈને પણ મને તેમાં માત્ર નામભેદ છે. આમ સત્ય અસત્યની મિશ્ર માન્યતા તેજ પ્રમાણે ધર્મ વિષેની મિશ્ર માન્યતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001487
Book TitlePapni Saja Bhare Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy