SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૪ આઠ કામણ વગણને ક્રમ ઉત્તરાઉત્તર સૂફમાતિસૂક્ષ્મ થતું જાય છે. જીવ આ વર્ગને આવશ્યકતાનુસાર ભિન્ન ભિન્નપણે ગ્રહણ કરે છે અને તે પ્રમાણે તેની પ્રવૃત્તિ થતી જાય છે, જીવન પ્રવૃત્તિ અને માધ્યમ સંસારમાં દેહરહિત કોઈપણ સંસારી જીવનું રહેવું સંભવ નથી. સંસારી સશરીરી છે, સિદ્ધાત્મા અશરીરી છે, સૂક્ષ્મ એવા નિગોદના જી પણ સ-શરીરી છે. શરીરને ધારણ કરવું તે જન્મ છે અને એક શરીરને ત્યાગ કરી અન્ય શરીરમાં જવું તેનું નામ મૃત્યુ છે. નગદથી માંડીને સંસારમાં સર્વત્ર જન્મમરણ સતત ચાલુ છે. જન્મ મરણ એટલે શરીરનું સર્જન અને વિસર્જન સંગ અને વિયેગ જેમ સંસારી જીવે પિતાને રહેવાને માટે શરીરની રચના બનાવી છે. તેવી રીતે વિચાર કરવા માટે મને વર્ગણાના પુદ્ગલે લઈને મન બનાવ્યું છે, તેવી રીતે વચન વ્યવહાર માટે ભાષાવર્ગણાના પગલે ગ્રહણ કરીને વચનગ બનાવ્યું છે. આ મન-વચન કાયારૂપ દેહમાં આત્મા રહે છે અને તે ત્રણના માધ્યમથી પ્રવૃત્તિ કરે છે, ક્રિયા કરે છે, તે પ્રવૃત્તિ કે ક્રિયા શુભ અથવા અશુભ હોય છે. જીવન શરીર ભલે નાનું મોટું હોય, અથવા ભલે એ ત્રણ માધ્ય. મમાં પણ અ૫ાધિકતા હોય, જેમકે એકેન્દ્રિય જીવને ફક્ત કાયાનું માધ્યમ હોય છે. બે ત્રણ તથા ચાર ઇંદ્રિયવાળા જીવન કાય તથા વચનનું માધ્યમ હોય છે, પંચેન્દ્રિય દેવ, મનુષ્ય તિર્યંચ,નારકી, પશુ પક્ષી વગેરે અને કાય, વચન તથા મન ત્રણે માધ્યમ મળ્યા છે. શરીરના દ્વાર સમાન પાંચે ઇંદ્રિયે છે. મન અતીન્દ્રિય છે. પાંચ ઈંદ્રિયો – (૧) પશેન્દ્રિય (ચામડી) (૨) રસનેન્દ્રિય (જીભ (૩) ધ્રાણેન્દ્રિય (નાક) (૪) ચક્ષુ (ઈદ્રિય) આંખ (૫) શ્રવણેન્દ્રિય (કાન) સર્વ સંસારી અને આ પાંચ ઇન્દ્રિય હાય જ તેવું નથી. દરેકને પિતાના કર્માનુસાર અપાધિક ઈદ્રિયે મળે છે. ભિન્ન ભિન્ન જાતિના જીવોને તે તે સંખ્યા પ્રમાણે ઈદ્રિયો હોય છે. (૧) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વનસ્પતિ આ સવને ફક્ત એકજ પશેન્દ્રિય જ હોય છે. મન અને વચન રોગ હોતા નથી, કે અન્ય દિયે પણ હતી નથી તે એકેન્દ્રિય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001486
Book TitlePapni Saja Bhare Part 01
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy