SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ તરવનું સ્વરૂપ લેગસ્સ સારે ધમ્મો, ઘમ્મપિય નાણુ સારીયં બિંતિ નાણું સંજમ સાર સંજમ સારં ચ નિવાણું છે પ.પૂ તીર્થપતિ શ્રમણ પરમાત્મા શ્રી મહાવીરસ્વામીના ચરણકમળમાં નમસકારપૂર્વક આ ગ્રંથની રચના કરું છું. જિન આગમ શાસ્ત્રમાં કહ્યું છે કે (સમસ્ત લોકો સારાય સંસારમાં સારરૂપી તવ જો કોઈ હોય તે તે એક માત્ર ધર્મ જ છે. તથા ધર્મને સાર સમ્યગ જ્ઞાન પ્રાપ્ત કરવું તે છે સમ્યગુજ્ઞાનને સારસ યમની પ્રાપ્તિ છે અને અંતમાં સંયમ (ચરિત્ર) ને સાર નિર્વાણપદની પ્રાપિત એટલે કે મેક્ષને બતાવ્યો છે. એટલે કે ભવ્ય આત્માઓએ નિર્વાણ પ્રાપ્તિના હેતુથી ધર્મની આરાધના અવશ્ય કરવી જોઈએ. ધર્મ આરાધનાના અવલંબનમાં પરમામાએ કહેલા તોનું અધ્યયન હોવું જરૂરી છે. કાકાશ હવે આપણે કમથી એ જોઈએ કે સારુયે વિશ્વ (સમસ્ત લેક) એ શું છે? અને એમાં કેટલા તત્વ છે તથા એના કેટલા સ્વરૂપ છે? શાસ્ત્રોમાં બતાવ્યા અનુસાર વિરાટ બ્રહ્માંડનું જ્ઞાન શું છે? વિશ્વમાં અનન્તાકાશમય એક વિરાટ ક્ષેત્ર છે. અનંતનો અર્થ છે કે જેને કોઈ અંત જ નથી તે તેવા આકાશને અનન્તાકાશ કહેવાય છે. આકાશનો અર્થ છે રિક્ત આકાશ એટલે કે ખાલી પડેલી જગ્યા જે સર્વ પદાર્થોને અવકાશ આપે છે તે આકાશ કહેવાય છે. અહીં ચિત્રમાં બતાવ્યા અનુસાર જોઈએ કે જે આપણે કલ્પનાથી એક ગોળાકારની સીમા બનાવીએ તે વર્તુળના કેન્દ્ર જેટલી જ જગ્યા (નાની જગ્યા) એટલોજ ભાગ માત્ર સુષ્ટિ છે. લોકભાગ છે. આ લોકભાગને જે માટે કરીએ તે વૈશાખી નૃત્ય કરતા પુરુષ આકાર એટલે લોકને આકાર છે. જાણે કે એક પુરુષ તેના બંને પગ ફેલાવી કમર ઉપર હાથ રાખીને ઉભે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001486
Book TitlePapni Saja Bhare Part 01
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy