SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ને સોમવારે સંવત્સરી આરાધી. સૂરિ સમ્રાટે અને બીજાઓએ સં. ૧૯૫૨, ૧૯૬૧ને ૧૯૮૯માં તપાગચ્છના માન્ય વૃદ્ધ મહાપુરુષોએ અને સકલ શ્રી સંઘે શ્રી વિજયદેવસૂર તપાગચ્છ સંઘની સેંકડો વર્ષોથી ચાલી આવતી શાસ્ત્રાનુસારી અવિચ્છિન્ન પ્રણાલિકા અનુસાર જે રીતે પાંચમના ક્ષયે અન્ય પંચાંગના આધારે છઠનો ક્ષય કરીને સુદ ચોથે સંવત્સરી કરેલી, તેજ રીતે આ વર્ષે (૨૦૦૪માં) પણ અન્ય પંચાંગના આધારે ભાદરવા સુદ છઠનો ક્ષય સ્વીકારીને સુદ ચોથને મંગળવારે સંવત્સરી જાહેર કરી અને આરાધી. સૂરિસમ્રાટ સ્વયં તો વૃદ્ધાવસ્થા ને અશક્તિને કારણે એમાં વિશેષ રસ નહોતા લઈ શકતા, પણ એમની સૂચના ને માર્ગદર્શન અનુસાર શ્રી વિજયનન્દનસૂરિજી એમાં પૂરતો રસ લેતા હતા. આ ત્રણ રીતની સંવત્સરીની આરાધનામાં બન્યું એવું કે બે તિથિવાળા ને સૂરિસમ્રાટ વગેરેની સંવત્સરી મંગળવારે સાથે થતી હતી; જયારે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ વગેરેની સોમવારે થતી હતી. આની ચર્ચા ને તોફાનો ખૂબ ચાલ્યાં, કોઈ રીતે સૂરિસમ્રાટ વગેરે સોમવારમાં આવે, એ માટે અથાગ પ્રયાસો થયા. પત્ર-પત્રિકાઓના થોકડા બહાર પડવા લાગ્યા.ગાળાગાળીની પણ સીમા ન રહી. પણ સૂરિસમ્રાટને આરાધનામાં રસ હતો - સાચી પ્રણાલિકા મુજબની આરાધનમાં; એમને આ ખટપટ, ચર્ચા કે ક્લેશમાં જરાય રસ ન હતો. એમના તરફથી સ્પષ્ટ જાહેર થયું કે, “અમે તો આપણી શબ્દ પ્રણાલિકાનુસાર છઠના ક્ષયે પાંચમ અખંડ રાખીને ચોથે સંવત્સરી કરવાના છીએ. બે તિથિવાળા સાથે અમારે કોઈ નિસબત નથી. અમારે તો પ્રામાણિક પ્રણાલિકા ને આરાધના સાથે જ સંબંધ છે.” એમની આ જાહેરાતથી વિરોધીઓના વિરોધમાં ભારે ઉછાળો આવ્યો. તા.૧૧-૮-૪૮ના મુંબઈ સમાચાર'માં સૂરિસમ્રાટને ઇર્ષાળુ, વ્યક્તિષી, મૂષકનીતિવાળા, કુબુદ્ધિ વાપરનારા, અશાન્તિ ફેલાવનારા વગેરે સ્વરૂપે ચિતરવામાં આવ્યા. તા. ૧૬-૮-૪૮ના “મુંબઈ સમાચાર'માં એમની ગણતરી મિત્રદ્રોહીમાં કરાઈ. અને ક્લેશ-કલહથી અલિપ્ત રહીને રચનાત્મક શાસનપ્રભાવના કરવાની એમની તટસ્થ વૃત્તિને લીધે એમને નિર્બળ અને નવા પક્ષ તરફ ઢળતા કલ્પવામાં આવ્યા. આ બધાં લખાણોથી અસ્વસ્થ ન થતાં સ્વસ્થ ને મૌન રહેવાની વિનંતી કરતા અનેક સમજુવિચારક આત્માઓના પત્રો સૂરિસમ્રાટ પર અને એમના શિષ્યો પર આવ્યા. એવા પત્રમાં શ્રીવિજયનંદનસૂરિજી ઉપર ભાવનગરથી શ્રી વિજયલલિતસૂરિજીએ લખ્યું હતું કે – વિ. શ્રી હંસસાગરજીનાં હેન્ડબીલો- લેખો અનેકવારવાંચ્યાં. તે વખતે મનમાં એવી વિચારણા આવી કે શ્રી નંદનસૂરિજી ગુરુભક્ત છે, તો એમનાથી આ લેખો, આ લખાણો સહન નહિ જ થાય. છતાં સમતા કરીને બેઠા છે, તે એમની વિદ્યાને અને સંયમશ્રુતિને જ આભારી છે. પણ આજે “મુંબઈ સમાચાર'નો એક લેખ જે સોનગઢથી લખાયો છે, તે શેઠ જુઠાભાઈ સાકરચંદ લેતા આવ્યા અને વ્યાખ્યાનમાંથી ઊઠ્યા બાદ અનેક ધર્મપ્રેમી મનુષ્યોએ વાંચ્યો. વાંચવાવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy