SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શુભ આશીર્વાદથી તથા તેઓશ્રીના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રીવિજયશીલચન્દ્રસૂરિ મહા૨ાજના માર્ગદર્શનપૂર્વક સ્થપાયેલા અમારા આ ‘ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ'ના ઉપક્રમે પરમપૂજ્ય પરમ દયાળુ સંઘનાયક આચાર્ય ભગવંત શ્રીવિજયનન્દનસૂરીશ્વરજી મહારાજના જીવન ચરિત્ર-ગ્રંથનું પ્રકાશન થાય છે, તે અમારા ટ્રસ્ટ માટે ગૌરવ તેમજ આનંદની બાબત છે. પૂજ્યશ્રીઓની પ્રેરણાથી આવા લાભ અમોને પ્રાપ્ત થાય છે, તેથી તેઓ પ્રત્યે અમો આ તકે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ છીએ. આવા લાભ અમારા ટ્રસ્ટને વારંવાર તેઓશ્રી આપતા રહે તેવી અમારી વિનંતિ છે. આ પ્રકાશનમાં વલસાડ શ્રીસંઘની શ્રીમહાવીરસ્વામી જૈન દેરાસર પેઢીએ જ્ઞાનદ્રવ્ય અર્પણ કરીને ઉમદા લાભ લીધો છે, તેઓની અમે અનુમોદના કરીએ છીએ. આ જીવન ચરિત્ર, અગાઉ ‘શ્રીવિજયનન્દનસૂરિ સ્મારકગ્રંથ'માં પ્રકાશિત થયું છે, તેનું જ આ સ્વતંત્ર પુનઃમુદ્રણ છે. Jain Education International લી. ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરાનો ટ્રસ્ટી ગણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy