SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ કે છ વર્ષની ઉંમરે તેઓ નિશાળે બેઠા. એ વખતે આંકને “રામ” કહેતા. બા ને બાપુજી વાળુપાણી કરી લીધા પછી રાત્રે પરવારે, ત્યારે નરોત્તમ એમની પાસે બેસે, ને એમના પગ દબાવે. પછી બા એમને પાસે બેસાડીને “રામના મોં પાઠ લેવરાવે. એકથી માંડીને સો સુધીના તથા સવાયા, અઢિયા, દોઢા વગેરે “રામ રોજ બોલી જવાના. પછી સૂતાં પહેલાં બા જૂના દુહા-છંદ શીખવે ને એ બહાને સારી સારી વાતો ય કહે : ભણે ગણે એ વેપારી, ના ભણે એ ઠોબારી; ભણે ગણે એ નામું લખે, ના ભણે એ દીવો ધરે.” નરોત્તમભાઈના કુમળા માનસ પર આ બધાની છાપ ઘેરી પડી હતી, એમ તેઓ છેલ્લાં વર્ષોમાં કહેતા. પ્રાથમિક ભણતર પછી તેમને અંગ્રેજી નિશાળમાં દાખલ કરવામાં આવ્યા. એ સાથે જ ધાર્મિક ભણતર માટે પાઠશાળાએ પણ જતા થયા. પાઠશાળાના માસ્તર જસરાજભાઈ હતા. એ ધાર્મિક ભણાવતા. ગ્રહણશક્તિ ને યાદશક્તિ પહેલેથી જ તીવ્ર, એટલે ભણવામાં સારી પ્રગતિ કરવા માંડ્યા. અંગ્રેજી ચાર ધોરણ સુધી ભણ્યા. અંગ્રેજી ગદ્ય ફકરાઓ અને કવિતાઓ બોલવાનો શોખ ઘણો. છટા પણ ખુમારી ભરી. જયોર્જ ધ ફિફથના રાજ્યાભિષેક વખતે બોટાદમાં મેળાવડો યોજાયો, ત્યારે અંગ્રેજી કવિતા બોલવા માટે એમની પસંદગી થઈ અને તેઓ પણ સૌને ટપી જાય એવી છટાદાર રીતે કવિતા બોલ્યા. પાઠશાળામાં ધાર્મિક શિક્ષણ પણ સારું એવું લીધું. એકવાર બન્યું એવું કે, બાપુજીને ધંધાકીય કારણસર કોઈક કેસ લડવાનો આવ્યો. કેસ મુંબઈ ચાલે એટલે એ માટે મોટાભાઈ સુખલાલ મુંબઈ જઈને રહ્યા. એ વખતે એકવાર એમણે આખા કુટુંબને મુંબઈ તેડાવ્યું. મુંબઈ વાલકેશ્વરમાં ઘર ભાડે લઈને રહ્યા. ત્યાં છ માસ રહેવાનું થયું એટલે નરોત્તમને બાબુ પનાલાલની નિશાળમાં ભણવા મૂક્યા. અંગ્રેજી ચોથું ધોરણ ત્યાં જ પૂરું કર્યું. આ નિશાળમાં અંગ્રેજી સાથે ધાર્મિક અભ્યાસ પણ કરાવાતો. ધાર્મિક શિક્ષક તરીકે ઘણું કરીને શ્રી માવજી દામજી શાહ તે વખતે હતા. એકવાર નિશાળમાં ધાર્મિક પરીક્ષા લેવાઈ. એમાં નરોત્તમ પહેલે નંબરે આવ્યા. મુંબઈ રહ્યા એ દરમિયાન દર સોમવારે વાલકેશ્વરથી ભાયખલા મોતીશા ટ્રસ્ટના દેરાસર દર્શન કરવા કુટુંબ સાથે જતા. નરોત્તમે નીડરતા શરૂથી જ કેળવેલી. સાહસ કરવું, ને ડરવું નહિ, આ બે વાત એમણે બરાબર પચાવેલી. એ વખતની પરિસ્થિતિ એવી હતી કે બોટાદના સ્થાનકવાસી સંઘ ને દેરાવાસી સંઘ વચ્ચે Jain Education International For Private & Personal Use Only www.jainelikeely.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy