SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ આ પછી શ્રી અમૃતભાઈએ પૂજયવરને કહ્યું : સાહેબ ! ઉવસગ્ગહર સ્તોત્રમાં “નિટ્ટાબાવા” અને “ચિંતામણિપ્રાયમદિg” આ બે પંક્તિઓમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ચાર નામો યોજાયાં છે. મંગલ પાર્શ્વનાથ, કલ્યાણપાર્શ્વનાથ, ચિન્તામણિ પાર્શ્વનાથ અને કલ્પવૃક્ષ કે કલ્પદ્રુમ પાર્શ્વનાથ. આમાંથી અત્યારે કલ્યાણ અને ચિંતામણિ બે નામ પ્રસિદ્ધ છે, બીજાં બે અપ્રસિદ્ધ છે. પણ કોઈને આ નામોના મૂળસ્થાનની ખબર નથી. આપને ધ્યાન હોય તો આબૂ - અચળગઢ ઉપર આ ચાર નામના ચાર પાર્શ્વનાથ છે.” પૂજ્યવરે હા કહી. પછી મને કહે કે, “આ વાત ધ્યાનમાં રાખજે, નોંધી રાખજે.” અને પછી બે-એક મહિનામાં જ પાલિતાણા- શત્રુંજય વિહારમાં પૂજયવરના હસ્તે શેઠ સવાઈલાલ કેશવલાલ તરફથી અંજનશલાકા થઈ ત્યારે ઉપર્યુક્ત ચારે નામના પાર્શ્વનાથનાં બિંબોની પણ ખાસ અંજનશલાકા પૂજ્યવરે કરી, ને કદમ્બગિરિ તીર્થે તેની પ્રતિષ્ઠા કરી. (૨) સં. ૨૦૨૮માં સંવત્સરીભેદ આવ્યો, ત્યારે શરૂઆતમાં મુંબઈથી સામા પક્ષ તરફથી એક પત્રિકા બહાર પડેલી. એમાં - “મહામિથ્યાત્વના માર્ગેથી સન્માર્ગે આવવું છે? વિરાધકમાંથી આરાધક બનવું છે? કુગુરુઓની મિથ્યાભરેલી વાઋાળમાંથી છૂટવું છે?” – આ પંક્તિઓ હતી. તે વખતે અને તે પછી ૨૫૦૦મા વર્ષની ઉજવણી વખતે “વીર પરિનિર્વાણ” માં સ્થાનક્વાસી સંઘના ઉપાધ્યાય શ્રી અમરમુનિનો હિંસા અંગેનો એક લેખ છપાયેલો, તે લઈને તેનો પ્રતીકાર કરવાનું કહેવા શેઠ જીવતલાલ પ્રતાપશી આવેલા, તે વખતે પૂજ્યવરે હસતાં હસતાં કહેલું કેઃ “આ લોકો મિથ્યાત્વની વાતો કરે છે, અમરમુનિએ આ લેખમાં જે વિધાન કર્યા છે, તેનાથી આપણે મિથ્યાત્વી ઠરીએ છીએ, માટે તેનો વિરોધ કરવાની વાતો કરે છે. પણ એમના પક્ષવાળાએ આજ સુધી અમને બધાને મિથ્યાત્વી કહ્યા છે ને ગણ્યા છે, તે એમને કોણ કહેવા જાય?” “એક વાર (સં. ૨૦૦૬)માં કદંબગિરિમાં અંજનશલાકા હતી. તેની કાર્ય-પ્રવૃત્તિ માટે ખૂબ રહેતી. એ દરમિયાન યશોદેવસૂરિ ત્યાં આવેલા. એમને મારી સાથે નિરાંતે બેસીને વાતો કરવી હતી, પણ મને અંજનશલાકાની પ્રવૃત્તિમાંથી સમય નહોતો મળતો. હવે એમને વિહાર કરવો હતો, એટલે મારી જોડે વાતો કરવાની ઉતાવળ અને ઇચ્છા વ્યક્ત કરી. એટલે એક દિવસ રાત્રે મેં સમય કાઢ્યો, ને હું જ એમના આસને ગયો. હું, યશોદેવસૂરિજી ને ત્રિલોચનવિજયજી -ત્રણ હતા. એમણે પહેલાં વાત કાઢી : “આ તિથિચર્ચાનું ક્યારે પતાવવું છે? પતી જાય તો સારું. કાંઈક કરો.” મેં કહ્યુંઅમે તો તૈયાર જ છીએ. લાવો હમણાં પતાવી દઈએ. પણ તમારા ગુરુને પતાવવું નથી, પોતાનું પકડી રાખવું છે, એટલે શું થાય !” આ પછી બીજી વાતો ચાલી. વાતવાતમાં યશોદેવસૂરિ મને પૂછે : “તમને લાગે છે કે આ વલ્લભસૂરિજીમાં સમકિત હોય ? અને પુણ્યવિજયજીમાં સમકિત હોય એમ લાગે છે?' મેં કહ્યું: “મને કાંઈ એવું અવધિજ્ઞાન નથી કે હું અમુક માણસમાં સમકિત છે કે નહીં, એ જાણી શકું. પણ હું એક વાત પૂછું છું કે રામચંદ્રસૂરિજીમાં સમકિત હોય એમ તમને લાગે છે?' ન ૧૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy