SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ કરી શાસન ઉપરની આ આફતને દૂર કરવામાં તથા શાસનરક્ષામાં પોતાનો સહયોગ આપે. જે જે ગામના સંઘમાં જેટલી સંખ્યામાં આયંબિલ તપ થાય તેના સમાચાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, ઝવેરીવાડ અમદાવાદ તથા જૈન ઉપાશ્રય, પાંજરાપોળ, અમદાવાદને મોકલી આપવા. “અમદાવાદ તા. ૩-૧૨-'૭૫ વિજયનંદનસૂરિ એમની શાસનસેવાની આ તમન્ના કેવી હૃદયસ્પર્શી હતી ! માગશર શુદિ ૨ : આજે સવારે વિહાર કરીને સાબરમતી ગયા. ત્યાં અંજનશલાકાનો મહોત્સવ ચાલુ હતો. ભવ્ય સામૈયું થયું. મંડપમાં પધાર્યા. હજારોની મેદની હતી. ઉછામણી અને ક્રિયાવિધાન શરૂ થાય તે પહેલાં શ્રીસંઘની સ્તુતિસ્વરૂપ “નક્ષત્રાક્ષતપૂર્તિ” શ્લોક ચારવાર બોલાવીને ચારે દિશામાં અક્ષત વતી શ્રીસંઘને વધાવો કર્યો, પછી મંગલાચરણ કરીને ઉપદેશ આપ્યો. એમના ઉપદેશના એ શબ્દો આજે ય કાનમાં ગૂંજે છે : “નક્ષ્મીઃ કૃતાથ વગુ સૈવ યા નિનप्रासादपूजाधुपयोगिनी भवेत् । सपादकोटीमणिना विभूषितं हारं यथा श्रीजगडो व्यधापयत् ॥" “જ્યારે કુમારપાળ રાજા સંઘ લઈને સિદ્ધાચળજીની યાત્રાએ ગયા છે, ત્યાં સંઘ સાથે યાત્રા કરીને દાદાના દરબારમાં એ બેઠા છે, ને તીર્થમાળની ઉછામણી ચાલે છે. એક બાજુએ રાજા કુમારપાળ ઉછામણી બોલે છે. એની સામે બાહડમંત્રી બોલે છે. મંત્રી બે લાખ બોલે છે તો રાજા ચાર લાખ બોલે છે. એમ કરતાં આઠ લાખ, સોળ લાખ ને બત્રીસ લાખ સોનૈયા બોલાય છે અને ત્યાં ઉછામણી અટકી જાય છે. બત્રીસ લાખ સોનૈયા બાહડ મંત્રી બોલ્યા છે. એ વખતે એક બાજુએથી અવાજ આવ્યો કે, “સવા ક્રોડ સોનૈયા” ! આ સાંભળીને બધા વિચારમાં પડી ગયા કોણ બોલે છે, એ જોવા નજર ફેરવી તો એક મેલાઘેલા વેષવાળા ભાઈને જોયા. એમણે સવા ક્રોડ સોનૈયા કહ્યા હતા. એના દેદાર જોઈને કુમારપાળે મંત્રીને ઈશારો કર્યો કે, કોણ છે એ જરા તપાસી લેજો; કોઈ બનાવટી ન હોય. પણ એનો ઇશારો પેલી વ્યક્તિ પામી ગઈ. એણે ત્યાં તરત જ કહ્યું: ‘પરમહંત રાજા કુમારપાળ ! આ તીર્થ કોઈ રાજા કે મહારાજાનું નથી, કોઈ મંત્રી કે શ્રીમંતોનું નથી. આ તો સકળ સંઘનું તીર્થ છે ને દરેકને અહીં ઉછામણી બોલીને લાભ લેવાનો અધિકાર છે. તમને મારા પર વિશ્વાસ ન આવતો હોય, ને શંકા આવતી હોય તો લ્યો, સવા ક્રોડની કિંમતનું આ રત્ન લઈ લ્યો.' આ શબ્દો બોલતી વખતનું પૂજ્યશ્રીનું જોમ, એમની ખુમારી, એમની છટા, અદ્ભુત-અપૂર્વ જ ૧૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy