SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ આદર કરશે, એને અનુસરશે, એટલે અંશે ધર્મની પ્રભાવના પણ થશે. આ કાર્ય આપણે – જૈનોએ કરવાનું છે, તે આપણે કરી શકતા નથી. અને એ કાર્ય અનાયાસે આ રીતે થઈ રહ્યું છે, તો એનો વિશિષ્ટ રીતે લાભ કેમ ન લેવો ? એ કાર્યને વધુ ને વધુ વેગ મળે, એવા પ્રયત્નોને બદલે વિરોધ કરવાનો શો અર્થ છે ?’ આ દીર્ઘદૃષ્ટિ શ્રીવિજયનંદનસૂરિજીની હતી. પણ વિરોધી વર્ગને આની દરકાર ન હતી. યેનકેન પ્રકારેણ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની ટૂંકી દૃષ્ટિના ધ્યેયથી એને આવી લાભકારક વાતો પણ ચલિત ન કરી શકી. એ વર્ગે તો ભારત સરકારની સામે દિલ્હીની હાઇકોર્ટમાં ઉજવણીનો વિરોધ કરવા માટે અને ઉજવણીને અટકાવવા માટે ચાર ચાર તો રીટ અરજીઓ પેશ કરી હતી ! આમ, તપાગચ્છમાં બે પક્ષ પડી ગયા ને વાતાવ૨ણ વિશેષ કલુષિત બનતું ચાલ્યું. આમ થતું અટકાવવા માટે સંઘના કેટલાક સમાધાન પ્રેમી અને શાંતિપ્રિય મહાનુભાવોએ પ્રયાસો આદર્યા. વકીલ છોટાલાલ ત્રિકમલાલ તથા પં. મફતલાલ ઝવેરચંદ વગેરે ભાઈઓ શ્રીવિજયનંદનસૂરિજી પાસે આવ્યા, અને આવી સ્થિતિમાં કાંઈક વ્યવસ્થિત માર્ગ કાઢવાની વિનંતી કરી. એ વખતે એ ગૃહસ્થો પણ ઉજવણીને અનર્થકારી માનતા હતા; પણ એ ગૃહસ્થોને તોફાન નાપસંદ હતું; એમને શાંત અને સ્વસ્થ પ્રવૃત્તિ કરવી હતી. આ માટે જ તેઓ ખંભાત આવ્યા હતા. એમણે શ્રી વિજયનંદનસૂરિજીને કહ્યું : “સાહેબ ! દરેક સંપ્રદાયના સાધુઓની- વડીલોની દૃષ્ટિ આપના તરફ છે કે નંદનસૂરિજી મહારાજ જે કહે અને કરે, તે અમારે મંજૂર છે. માટે આ ઉજવણીની અનુકૂળપ્રતિકૂળ અસરો વિચારીને આપ કાંઈક માર્ગદર્શન આપો.” શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું : “તમે કહો છો તેમ, બધાની મારા તરફ દૃષ્ટિ હોય, તો મારે ખૂબ વિચારીને વર્તવું જોઈએ. બધા સમુદાયોના અંગત અભિપ્રાય મારે મેળવી લઈને પછી જ કાંઈક નિર્ણયાત્મક માર્ગદર્શન અપાય. એમ કરતાં પહેલાં એક કામ થાય તો મને ઉચિત લાગે છે. એ કામ એ કે, ચોમાસું પૂરું થયે એક તિથિ પક્ષના મુખ્ય મુખ્ય સાધુઓ ભેગા થવાનું રાખીએ. હું અમદાવાદ આવું, બીજા પણ આવે. જે સ્વયં ન આવી શકે તે પોતાના પ્રતિનિધિને મોકલે અથવા સોંપે. એ વખતે વિચારણા કરીને આ વિષે ચોક્કસ નિર્ણય લઈએ ત્યાં સુધી ઉજવણીની તરફેણમાં કે વિરોધમાં કશી જ કાર્યવાહી કોઈએ કરવી નહિ.' આ ગૃહસ્થોને આ વિચાર ખૂબ ગમ્યો. નક્કી કરીને તેઓ ગયા. પણ આ પછી થોડા જ દિવસોમાં વિરોધી વર્ગે ફરી પાછો ઝનૂની વિરોધનો વંટોળ ઉભો કરી દીધો. નિત નવી પત્રિકાઓ, લેખો, પેપરોમાં જાહેરાતો અને એવી એવી અનેક રીતિઓ વડે એ વર્ગે ઉજવણીનો વિરોધ ચલાવ્યો. સભાઓ, સરઘસો પણ કરવા માંડ્યા. આ વર્ગમાં મુખ્યત્વે નવો તિથિપક્ષ તો હતો જ, પણ એની સાથે એક તિથિપક્ષનો પણ કેટલોક વર્ગ હતો. એ વર્ગની આવી પ્રવૃત્તિઓને રોકનાર કે ટોકનાર કોઈ ન રહ્યું. જે હતા, તેની વાતો એ વર્ગે કાને ન ધરી. આવી સ્થિતિમાં ભેગાં મળવાનું ને વિચાર કરવાનું રહ્યું જ ક્યાં ? C Jain Education International ૧૩૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy