SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ આ વખતે એક નવીનતા એ બની કે સંવત્સરી ગયા પછી પણ સમાધાનની વાટાઘાટો સામા પક્ષે ચાલુ રાખી, એટલું જ નહિ પણ, વધુ જોરદાર બનાવી. સમાધાનની વાટાઘાટો ચલાવવા માટે સેવંતીલાલ ભગાભાઈ નામની એક વ્યક્તિને સામા પક્ષે વિષ્ટિકાર તરીકે ગોઠવી. આ વાટાઘાટોમાં પરંપરા પક્ષના સરળ આગેવાન શ્રાવકો પણ જોડાયા. એમને આ વાતના ભેદનો ખ્યાલ ક્યાંથી હોય? સેવંતીભાઈ વાટાઘાટો માટે એકતિથિના ઘણા આચાર્યો પાસે જઈ આવ્યા. બધાએ વાતો સાંભળી અને વાતો કરી પણ ખરી, પણ છેવટે “નંદનસૂરિ મહારાજને મળો’એ સૂચના પણ આપી. એ ભાઈ તેઓની પાસે આવ્યા. તેઓની વાત તો સ્પષ્ટ હતી કે, “સમાધાન કરવું હોય તો બાર પર્વોની નવી પ્રણાલિકા છોડવાની જાહેરાત કરો. પછી આગળ વાત.” સામા પક્ષે પહેલાં “સંવત્સરીની કબૂલાત” માંગી. એમણે એ માટે સ્પષ્ટ ના કહી. કહે: “સરળતા હોય, સાચી ભાવના હોય, તો બારપર્વ છોડો. સંવત્સરીનું થઈ રહેશે.” પણ, સરળતા લાવવી ક્યાંથી? એક તબક્કે, એ જયારે ખંભાત હતા ત્યારે રાત્રે દસ વાગે મુંબઈથી સેવંતીભાઈનો કૉલ આવ્યો કે “રામચંદ્રસૂરિ મહારાજ એવું કહે છે કે ચૌદશ અને ભાદરવા શુદિ પાંચમ અમારી, બાકીની તિથિઓ માટે તમે કહો તેમ.” આના જવાબમાં જો હા કહેવરાવે, તો સામા પક્ષની અસત માન્યતાને સમર્થન મળી જાય; અને ના કહેવરાવે તો સામા પક્ષને જોઈતું મળી જાય, એ તરત જ પ્રચાર શરૂ કરે કે, “અમે તો આટલી હદ સુધી તૈયાર હતા, પણ નંદનસૂરિજીએ ના પાડી.” આ બધી વાતોનો વિચાર કરીને એમણે જવાબમાં કહેવરાવ્યું: “રામચન્દ્રસૂરિજી જે રીતે કહેતા હોય, તે રીતનું લખાણ કરી, તેમાં તેમની સહી કરાવીને અહીં લઈ આવો.” થયું. આજની ઘડી ને કાલનો દહાડો ! આનો કંઈ જવાબ જ ન આવ્યો. સમાધાનની વાતો હવામાં ઊડી ગઈ.. શ્રી વિજયનંદનસૂરિજી તો કાયમ કહેતા હતા કે, “ભાઈ ! તમને ગમે તે તમે કરો. અમને ઠીક લાગે તે અમે કરીએ. નાહકની આ ચર્ચા કરીને શાંત વાતાવરણને શા માટે ડહોળો છો? જુદા જુદા ગચ્છના ને સંપ્રદાયના લોકો પોતાની જુદી જુદી આરાધના કેવી શાંતિથી કરે છે ! કોઈ કોઈનામાં ડખલ નથી કરતું. તો પછી આપણે પણ શાંતિથી આપણું કર્યા કરીએ. આમ ડહોળવાથી તો સંઘમાં અશાંતિ જ વધવાની ને ભદ્રસમાજ ધર્મવિમુખ થતો જવાનો.” આ પછી તો એમણે એક નિર્ણય કર્યો કે, જ્યાં સુધી સામો પક્ષ “સંવત ૧૯૯૨થી તથા ૧૯૯૩થી સંવચ્છરીની તથા તિથિ આરાધનામાં બાર પર્વતિથિની તથા ભાદરવા શુદિ પાંચમની ક્ષયવૃદ્ધિ રાખવાની જે પ્રણાલિકા અમોએ અપનાવી છે, તે અમો આજથી છોડી દઈએ છીએ; અને આરાધનામાં બાર પર્વતિથિની તથા ભાદરવા શુદિ પાંચમની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાને A વૃદ્ધિ રીમ ૧૨૬ dan Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy