SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ “અમારી માન્યતા મુજબ નીચે પ્રમાણે પ્રતિજ્ઞાપત્ર બહાર પાડવું જોઈએ : પ્રતિજ્ઞાપત્રનો મુસદ્દો સાચી એક માયા રે જિન અણગારની “શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી સંઘ સમિતિના કાર્યવાહકો અમો શ્રીકસ્તૂરભાઈ લાલભાઈ, શ્રી કેશવલાલ લલુભાઈ ઝવેરી, શ્રી છોટાલાલ ત્રિકમલાલ પરીખ, શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી, શ્રી બાબુભાઈ છગનલાલ શ્રોફ, શ્રી મોતીલાલ વીરચંદ શાહ, શ્રી મનસુખલાલ ચુનીલાલ મહેતા, પ્રતિજ્ઞાપૂર્વક જણાવીએ છીએ કે – શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી જૈન સંઘમાં વર્તમાન શ્રી તપાગચ્છ, શ્રીખરતરગચ્છ, શ્રી અચલગચ્છ, શ્રી પાયચંદગચ્છ, શ્રી બૃહત્તપાગચ્છ, શ્રી ઉકેશગચ્છ વિગેરે તમામ ગચ્છોમાં પૂ. શ્રી સાધુ- સાધ્વી- શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રી શ્રમણસંઘમાં અમો સાદરભાવે સમ્યગ દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર માનીએ છીએ અને સદહીએ છીએ. અને તમામ ગચ્છોને વફાદાર રહીને શ્રી સંઘની સેવા બજાવવાની અમારી ફરજ અમે અદા કરીશું અને તે રીતે તે જ ઉદેશથી અમો ઉપરોક્ત શ્રી સંઘ સમિતિના કાર્યવાહક તરીકે નીમાયા છીએ, તે વિદિત થાય.” સંઘભાવનાનું આ દર્શન કેવું સર્વમંગલકારી છે ! એનું અનુમોદન આપણને કૃતકૃત્ય બનાવે. એનું અનુકરણ આપણી સંકુચિતતાના ઝેરને ઊતારી નાંખે. (૩૮) ગુણવૈભવ સંસ્કૃતમાં એક સુભાષિત છે : યત્રામાવાન્ન, મેળ કુળોષોઃ न यन्निन्दास्तुती कर्तुं, शक्येते खलसज्जनैः ॥" - સત્પરુષો એમની પૂરી ગુણ-સ્તુતિ કરવા અસમર્થ હતા; કારણ, એમના ગુણો અપરિમેય હતા. કેટલા ગુણની સ્તુતિ કરે? અને ખલપુરુષો એમની નિન્દા કરવાનેય અશક્ત હતા; કારણ, એમનામાં નિંદનીય કોઈ દોષ જ ન હતો.” કવિની આ કલ્પના શ્રી વિજયનંદનસૂરિજીનાં દર્શને અચૂક યાદ આવતી. સરળતા-આડમ્બરવિમુખ સરળતા-એમનો સૌથી વિશિષ્ટ ગુણ હતો; એમનાં વિચાર, વાણી ૧૧૬ Lain Education International ational For Private & Personal Use Only www.jainelibrary.org www.jainelib
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy