SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું: “તમે નક્કી કરો તે સમય રાખીએ.” બે વાગ્યાનો સમય નક્કી થયો. બે વાગે સૌ એક ખંડમાં મળ્યા, બેઠા. બીજી આડીઅવળી વાતો ચાલી. પણ એ વખતે શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ પ્રસ્તુત પ્રકરણની કશી વાત જ ના ઉચ્ચારી. છેવટે શ્રી નંદનસૂરિજીએ સરળ ભાવે કહ્યું : “આપણે સંમેલનમાં શેની વિચારણા કરવી છે, એ વિષે આપણે અહીં થોડીક વિચારણા કરી લઈએ.” ત્યારે શ્રી વિજયરામચંદ્રસૂરિજી કહે: “ના ના, એ વિચારણા અત્યારે ખાનગીમાં કરવાની શી જરૂર છે? એ માટે તો સંમેલન બોલાવ્યું છે, ત્યાં જ વિચારીશું.” થયું. સરળતાને અને સામા પક્ષને બાર ગાઉનું આંતરું છે, એવી શ્રી વિજયનંદનસૂરિજીની માન્યતા સાચી હોવાની સૌને આ બનાવે પ્રતીતિ થઈ. આ પછી એમણે શ્રીસંઘના ઉત્સાહ વચ્ચે શહેરમાં પ્રવેશ કર્યો. એમના આગમનથી શહેરની હવામાં પરિવર્તન આવ્યું હતું. કાંઈક સંગીન અને સુંદર પરિણામ આવવાની આશા સૌને બંધાઈ હતી. એમની શક્તિ અને પ્રતિભા ઉપર સૌને અખૂટ અને અગાધ શ્રદ્ધા હતી. એ જે કરશે તે સંઘના વ્યાપક અને શ્રેષ્ઠ હિતમાં જ હશે એની સૌની ખાતરી હતી. એટલે સી નિશ્ચિત્ત બનીને સંમેલનની શુભ શરૂઆતની વાટ જોવા લાગ્યા. એકતિથિપક્ષના સમગ્ર શ્રમણ-સમુદાયે પણ શ્રી વિજયનંદનસૂરિજીને પોતાનું નેતૃત્વ સોંપીને રાહતનો દમ ખેંચ્યો. પાંજરાપોળનો ઉપાશ્રય અનેક મુનિરાજો તથા આગેવાન ગૃહસ્થોની આવન–જાવનથી ચોવીસે કલાક ધમધમી રહ્યો, શ્રી વિજયનંદનસૂરિજીનું બુદ્ધિતંત્ર બરાબર કામે લાગી ગયું. કોને શું જવાબ આપવો, કોને ક્યાં નિયુક્ત કરવા, કોનો ઉપયોગ કેમ કરવો, સામા પક્ષના વિચારોનો પ્રતિવાદ કેમ કરવો, આ બધામાં તેઓ પૂરા સક્રિય બની ગયા. અને જોતજોતામાં સંમેલનની શરૂઆતનો મંગળકારી દિવસ–અક્ષય તૃતીયાનો દિવસ – આવી પહોંચ્યો. - Zain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy