SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪. શાહ નીલાંજના એસ. તેને માટે મનગમતે વર મેળવવા ધામધૂમથી સ્વયંવર જે. આ સ્વયંવરમાં તેમણે બધે ઠેકાણે તેને મે કલીને જુદા જુદા પ્રદેશના રાજાઓને તેડાવ્યા હતા. તેમાં નીચેના રાજાઓનાં નામ આપણને “જ્ઞાધમાં મળે છે. દ્વારકાના રાજા કૃષ્ણ. વાસુદેવ અને દશા, અંગરાજ કૃષ્ણ, દમષને પુત્ર શિશુપાલ, રાજગૃહના રાજા જરાસંધનો પુત્ર સહદેવ, કૌડીન્યના રાજા ભીષ્મકના પુત્ર રૂપી રાજા, વિરાટના કીચક રાજા અને હસ્તિનાપુરના પાંડુ રાજા, તેમના પુત્ર અને દુર્યોધન વગેરે ભત્રીજાએ ( અશ્વત્થામા અને શકુનિ સહિત) જૈન આગમ પ્રમાણે તે વખતે પાંડુ રાજા હયાત હતા, જ્યારે “મ ભા” પ્રમાણે પાંડુરાજાના અવસાન (આદિ પવ, અ. ૧૧૬) પછી દ્રૌપદીને સ્વયંવર (આદિ પર્વ, અ. ૧૭૯) થયે હતે. દ્રૌપદીએ હાથમાં ફૂલમાળા લઈને સ્વયંવર મંડપમાં પ્રવેશ કર્યો અને ત્યાં બિરાજમાન રાજાઓને ઓળગીને. નિયાણું વડે પ્રેરાતી પાંચ પાંડ પાસે ગઈ અને તેમને માળા વડે વીંટીને એમ બોલી, “g HD vs giઢવા વરિયા ” જૈન આગમમાં દર્શાવ્યા પ્રમાણે બધા રાજાઓએ દ્રૌપદીની આ વરણું સહર્ષ વધાવી લીધી, એટલું જ નહી, પદ પોતે પાંચ પતિ સાથે દ્રોપદીને પરણાવવામાં કઈ ગૂંચવાયે લાગતો નથી, તેણે પાંડ સાથે કઈ પણ આનાકાની વિના ધામધૂમથી લગ્ન કરાવી આપ્યાં છે. ૨૩ જ્ઞાધ”માં સ્વયંવર મંડપનું પણ વિગતે વર્ણન મળે છે. દ્રોપદીને સ્વયંવર એવી ભવ્ય રીતે યાજાયે હતું કે પછી, આગમ પરની વૃત્તિએમાં કોઈ પણ સ્વયંવરની વાત આવે ત્યારે તેને દ્રોપદીના આ સ્વયંવરની ઉપમા આપવામાં આવે છે, જેમકે “આવશ્યક સૂત્ર” પરની હારિભદ્રીય વૃત્તિમાં અને “ઉત્તરાધ્યયન સૂત્ર” પરની શાંતિસૂરિની વૃત્તિમાં મથુરાના પર્વતરાજાની પુત્રી નિવૃત્તિના સ્વયંવરને દ્રોપદીના સ્વયંવર જે ” કહીને સમેટી લેવામાં આવે છે. ૨૪ “જ્ઞાધ”માં મળતા સ્વયંવર વનમાં કયાંય અને રાધાવેધ કરીને દ્રોપદીને મેળવી એ નિદેશ નથી, જ્યારે કલ્પસૂત્ર” પરની લક્ષમીવલ્લભની ટીકામાં સ્વયંવરમાં અજુને રાધાવેધ કરીને દ્રોપદીને પ્રાપ્ત કર્યાને નિર્દેશ મળે છે. તેને “મ, ભા. એમાં અને કરેલા મસ્યવેધના નિદેશ સાથે સરખાવી શકાય.ર૬ મ. ભા. 'ના આદિપર્વમાં, “ દ્રોપદી સ્વયંવરપર્વ ' નામનું એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001431
Book TitleJain Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorK R Chandra
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1992
Total Pages330
LanguagePrakrit, Hindi, Enlgish, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & agam_related_articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy