SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં નય દ્રવ્યથી ઊપજેલું છે. જ્ઞાન અમૂર્ત છે, છતાં મતિજ્ઞાનને મૂર્ત ગણ્યું. કેમકે વિજાતિ એવાં મૂર્ત પુદ્ગલથી ઊપજ્યું છે. ७८ ૩. સ્વજાતિ વિજાતિ અસદ્ભૂત વ્યવહાર : જેમકે, જ્ઞાનનો વિષય હોવાથી શેય એવા જીવ અને અજીવને વિશે જ્ઞાનનું કથન છે. ૩. ઉપચિરત અસદ્ભૂત વ્યવહાર ઉપનય, ત્રણ પ્રકારે : ૧. સ્વજાતિ ઉપરિત અસદ્ભૂત વ્યવહાર :- જેમકે, મારાં સ્ત્રી, પુત્રાદિ (સજીવ.) ૨. વિજાતિ ઉપરિત અસદ્ભૂત વ્યવહાર : જેમકે, મારાં હાટ, હવેલી, ઘર, વસ્ત્રાદિ (નિર્જીવ.) ૨. સ્વજાતિ વિજાતિ ઉપરિત અસદ્ભૂત વ્યવહા૨ જેમકે, મારો દેશ, રાજ્ય, પ્રજા, ધણ, દુર્ગાદિ (સજીવ, નિર્જીવ.) આમ ઉપનયના આઠ ભેદ થયા, અને નયના પૂર્વે જણાવેલ અઠ્ઠાવીસ ભેદ ગણતાં કુલ છત્રીસ ભેદ થાય. દેવસેનાચાર્યે આલાપપદ્ધતિમાં ઉપરોક્ત ભેદ-પ્રભેદ કરી તેની સંક્ષેપમાં ઉદાહરણ સહિત ચર્ચા કરી છે. તે જ બાબતોને યશોવિજયજી દ્વારા ગુજરાતી ભાષામાં અતિરત કરી ઢાળોમાં તથા સ્તંબકમાં સુંદર રજૂઆત કરવામાં આવી છે. તુલનાત્મક દૃષ્ટિએ આ દેવસેન કૃત મૂળ સંસ્કૃત પંક્તિ અને ઉપા યશોવિજય કૃત ગુજરાતી કડીઓ અને સ્તબકનો અહીં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. દેવસેન નયચક્રમાં જણાવે છે કે कर्मोपाधिनिरपेक्षः शुद्धद्रव्यार्थिको यथा संसारी जीवः सिद्धसदृक् शुद्धात्मा । पृ० २१४ — કર્મોપાધિ નિરપેક્ષ—કર્મોની ઉપાધિની અપેક્ષા ન કરવાવાળો શુદ્ધ દ્રવ્યાર્થિક નય—જેમ કે સંસારી જીવ સિદ્ધની જેમ શુદ્ધ આત્મા છે. આ વાતને યશોવિજયજીએ આ રીતે બતાવી છે. શુદ્ધ અકર્મોપાધિથી, દ્રવ્યાર્થિક ધુરિ આણો, ૨-૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001416
Book TitleJain Darshnma Nay
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherB J Institute
Publication Year2002
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Nyay
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy