SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૭ મા પહેલાં પ્રશ્નોત્તર પ્રશ્નો ઉત્તર ૧ જગતમાં આદરવા યોગ્ય શું છે? ૧ સદ્દગુરુનું વચન. ૨ શીઘ કરવા ગ્ય શું? ૨ કર્મને નિગ્રહ. ૩ મેક્ષતરુનું બીજ શું? ૩ ક્રિયા સહિત સમ્યજ્ઞાન. ૪ સદા ત્યાગવા યંગ્ય શું? ૪ અકાર્ય કામ. ૫ સદા પવિત્ર કયું? ૫ જેનું અંતઃકરણ પાપથી રહિત હોય તે. ૬ સદા યૌવનવંત કોણ? ૬ તૃષ્ણ (લાભદશા). ૭ શૂરવીર કેણ? ૭ જે સ્ત્રીના કટાક્ષથી વીંધાય નહીં તે. ૮ મહત્તાનું મૂળ શું? ૮ કેઈની પાસે પ્રાર્થના (યાચના) ન કરવી તે. ૯ સદા જાગૃત કોણ? ૯ વિવેકી. ૧૦ આ દુનિયામાં નરક જેવું દુઃખ શું? ૧૦ પરતંત્રતા (પરવશ રહેવું તે). ૧૧ અસ્થિર વસ્તુ શું? ૧૧ યૌવન, લક્ષ્મી અને આયુષ્ય. ૧૨ આ જગતમાં અતિ ગહન શું? ૧૨ સ્ત્રીચરિત્ર અને તેથી વધારે પુરુષચરિત્ર. ૧૩ ચંદ્રમાનાં કિરણે સમાન શ્વેતકીતિને ધારણ ૧૩ સુમતિ ને સજ્જન. કરનાર કોણ? ૧૪ જેને ચોર પણ લઈ શકે નહીં તેવો ખજાને શું? ૧૪ વિદ્યા, સત્ય અને શિયળત્રત. ૧૫ જીવનું સદા અનર્થ કરનાર કેણ? ૧૫ આર્ત અને રૌદ્રધ્યાન. ૧૬ અંધ કેણ? ૧૬ કામી અને રાગી. ૧૭ બહેરે કેશુ? ૧૭ જે હિતકારી વચનને સાંભળે નહીં તે. ૧૮ મૂંગે કોણ? ૧૮ જે અવસર આવ્યું પ્રિયવચન ન બોલી શકે તે. ૧૯ શલ્યની પેઠે સદા દુઃખ દેનાર શું? ૧૯ છાનું કરેલું કર્મ. ૨૦ અવિશ્વાસ કરવા યંગ્ય કેણ? - ૨૦ યુવતી અને અસજન ( દુર્જન) માણસ. ૨૧ સદા ધ્યાનમાં રાખવા ગ્ય શું? ૨૧ સંસારની અસારતા. ૨૨ સદા પૂજનિક કોણ? ૨૨ વીતરાગ દેવ, સુસાધુ અને સુધર્મ. દ્વાદશાનુપ્રેક્ષા આત્માને પરમહિતકારી એવી દ્વાદશાનુપ્રેક્ષા એટલે વૈરાગ્યાદિ ભાવભાવિત બાર ચિંતવનાઓનું સ્વરૂપ ચિંતવન કરું છું. ૧ અનિત્ય, ૨ અશરણ, ૩ સંસાર, ૪ એકત્વ, ૫ અન્યત્વ, ૬ અશુચિ, ૭ આસવ, ૮ સંવર, ૯ નિર્જરા, ૧૦ લેક, ૧૧ બેધિદુર્લભ, ૧૨ ધર્મ. એ બાર ચિંતવનાઓનાં પ્રથમ નામ કહ્યાં. એના સ્વભાવનું, ભગવાન તીર્થકર પણ ચિંતવન કરી સંસાર દેહ ભેગથી વિરક્ત થયા છે. આ ચિંતવનાઓ ઘેરાગ્યની માતા છે. સમસ્ત જીવેનું હિત કરવાવાળી છે. અનેક દુઃખેથી વ્યાપ્ત સંસારી અને આ ૧. રત્નકરંડશ્રાવકાચારમાંથી પ્રથમની ત્રણ અનુપ્રેક્ષાનો આ અનુવાદ છે. તે અપૂર્ણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy