SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જે પિલા ભાઈએ પ્રથમથી જ ખોટાં કહ્યાં હતા તે તે માનત નહીં, પણ જ્યારે પિતાને વસ્તુની કિંમત આવી ને બેટને ખોટારૂપે જાણ્યાં ત્યારે ઝવેરીને કહેવું પડ્યું નહીં કે ખોટાં છે. આ જ રીતે પિતાને સદ્ગુરુની પરીક્ષા થતાં અસદ્દગુરુને અસત્ જાણ્યા તે પછી તે તરત જ અસદ્દગુરુ વજીને સદ્ગુરુના ચરણમાં પડે; અર્થાત્ પિતામાં કિંમત કરવાની શક્તિ આવવી જોઈએ. ગુરુ પાસે રોજ જઈ એ કેંદ્રિયદિક જીના સંબંધમાં અનેક પ્રકારની શંકાઓ અને કલ્પનાઓ કરી ચૂક્યા કરે; રેજ જાય અને એ ને એ જ પૂછે, પણ એણે ધાર્યું છે શું? એકેંદ્રિયમાં જવું ધાર્યું છે કે શું? પણ કઈ દિવસ એમ પૂછતો નથી કે એકેંદ્રિયથી માંડી પદ્રિયને જાણવાનો પરમાર્થ શું? એકૅક્રિયાદિ જો સંબંધી ક૯૫નાઓથી કાંઈ મિથ્યાત્વગ્રંથિ દાય ત એઢિયાદિ જવાનું સ્વરૂપ જાણવાનું કંઈ કુળ નથી; વાસ્તવિક રીતે તે સમકિત પ્રાપ્ત કરવાનું છે, માટે ગુરુ પાસે જઈ નકામાં પ્રશ્નો કરવા કરતાં ગુરુને કહેવું કે એકૅક્રિયાદિકની વાત આજે જાણી, હવે તે વાત કાલ કરશે નહીં, પણ સમતિની ગોઠવણ કરજો. આવું કહે તે કોઈ દહાડે એને નિવેડે આવે. પણ રેજ એકેદ્રિયાદિની કડાકૂટો કરે છે એનું કલ્યાણ ક્યારે થાય? સમુદ્ર છે તે ખરે છે. એકદમ તે તેની ખારાશ નીકળે નહીં. તેને માટે આ પ્રકારે ઉપાય છે કે તે સમુદ્રમાંથી એકેક વહેળા લેવા, અને તે વહેળામાં જેથી તે પાણીની ખારાશ મટે, અને મીઠાશ થાય એવો ખાર નાખે; પણ તે પાણી શેષાવાના બે પ્રકાર છે: એક તે સૂર્યને તાપ, અને બીજી જમીન માટે પ્રથમ જમીન તૈયાર કરવી અને પછી નીકે દ્વારા એ પાણી લઈ જવું અને પછી ખાર નાંખ કે તેથી ખારાશ મટી જશે. આ જ રીતે મિથ્યાત્વરૂપી સમુદ્ર છે, તેમાં કદાગ્રહાદિરૂપ ખારાશ છે; માટે કુળધર્મરૂપી વહેળાને ગ્યતારૂપ જમીનમાં લઈ સધરૂપી ખાર નાંખવે એટલે સપુરુષરૂપી તાપથી ખારાશ મટી જશે. દુર્બળ દેહ ને માસ ઉપવાસી, જો છે માયારંગ રે; તે પણ ગર્ભ અનંતા લેશે, બેલે બીજું અંગ છે.” જેટલી ભ્રાન્તિ વધારે તેટલું વધારે. સૌથી મોટો રેગ મિથ્યાત્વ. જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વચ્છેદથી ન કરવી; અહંકારથી ન કરવી; લોકોને લીધે ન કરવી; જીવે જે કાંઈ કરવું તે સ્વછંદ ન કરવું. “હું ડાહ્યો છું એવું માન રાખવું તે ક્યા ભવને માટે? “હું ડાહ્યો નથી એવું સમજ્યા તે મેક્ષે ગયા છે. મુખ્યમાં મુખ્ય વિદ્મ સ્વછંદ છે. જેને દુરાગ્રહ છેદયે તે લોકોને પણ પ્રિય થાય છે; દુરાગ્રહ મૂકયો હોય તે બીજાને પણ પ્રિય થાય છે, માટે કદાગ્રહ મુકાયાથી બધાં ફળ થવા સંભવે છે. ગૌતમસ્વામીએ મહાવીરસ્વામીને વેદનાં પ્રશ્નો પૂજ્યાં તેનું, સર્વ દોષને ક્ષય કર્યો છે એવા તે મહાવીર સ્વામીએ વેદના દાખલા દઈ સમાધાન સિદ્ધ કરી આપ્યું. બીજાને ઊંચા ગુણે ચઢાવવા, પણ કોઈની નિંદા કરવી નહીં. કેઈને સ્વછંદે કાંઈ કહેવું નહીં. કહેવા યોગ્ય હોય તે અહંકારરહિતપણે કહેવું. પરમાર્થદ્રષ્ટિએ રાગદ્વેષ ઘટ્યા હોય તે ફળીભૂત થાય, વ્યવહારથી તે ભેળા જીવેને પણ રાગદ્વેષ ઘટ્યા હોય; પણ પરમાર્થથી રાગદ્વેષ મેળા પડે તે કલ્યાણને હેતુ છે. મોટા પુરુષોની દ્રષ્ટિએ જોતાં સઘળાં દર્શન સરખાં છે. જૈનમાં વિશ લાખ જ મતમતાંતરમાં પડ્યાં છે! જ્ઞાનીની દ્રષ્ટિએ ભેદભેદ હોય નહીં. જે જીવને અનંતાનુબંધીને ઉદય છે તેને સાચા પુરૂષની વાત સાંભળવી પણ ગ ત સાંભળવી પણ ગમે નહીં. મિથ્યાત્વની ગ્રંથિ છે તેની સાત પ્રકૃતિ છે. માન આવે એટલે સાતે આવે, તેમાં અનંતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy