SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ છાયા ૬૯૧ માં) છે, અને પાણીમાં ઊભા રહીને, પાણીમાં દ્રષ્ટિ રાખી, બાણ સાધી તે (ઊંચેનો ઘડો) વીંધ છે; લેક જાણે છે કે વીંધનારની દ્રષ્ટિ પાણીમાં છે, પણ વાસ્તવિક રીતે ઘડે વીંધવાને છે, તેને લક્ષ કરવા માટે વીંધનારની દૃષ્ટિ આકાશમાં છે. આ રીતે જ્ઞાનીની ઓળખાણ કોઈ વિચારવાનને હોય છે. દ્રઢ નિશ્ચય કરે કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતરવૃત્તિ કરવી; અવશ્ય એ જ જ્ઞાનીની આજ્ઞા છે. સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઈચ્છા થતી હોય તે સમજવું કે જ્ઞાની પુરુષને જોયા નથી. જે પ્રકારે પ્રથમ સંસારમાં રસસહિત વર્તતે હોય તે પ્રકારે, જ્ઞાનીને વેગ થયા પછી વર્તે નહીં એ જ જ્ઞાનીનું સ્વરૂ૫. જ્ઞાનને જ્ઞાનદ્રષ્ટિથી, અંતરદ્રષ્ટિથી જોયા પછી સ્ત્રી જેઈને રાગ ઉત્પન્ન થાય નહીં, કારણકે જ્ઞાનીનું સ્વરૂપ વિષયસુખકલ્પનાથી જુદું છે. અનંત સુખ જાણ્યું હોય તેને રાગ થાય નહીં; અને જેને રાગ થાય નહીં તેણે જ જ્ઞાનીને જોયા, અને તેણે જ જ્ઞાનીપુરુષનાં દર્શન કર્યા, પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં, કારણ કે જ્ઞાનીનાં વચને યથાર્થ રીતે સાચાં જાણ્યાં છે. જ્ઞાનીની સમીપ દેહ અને આત્મા જુદા પૃથક પૃથક જાણ્યા છે તેને દેહ બાદ કરી આત્મા ભિન્ન ભિન્ન ભાસે, અને તેથી સ્ત્રીના શરીર અને આત્મા જુદા ભાસે છે. તેણે સ્ત્રીનું શરીર માંસ, માટી, હાડકાં આદિનું પૂતળું જાણ્યું છે એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતું નથી. આખા શરીરનું બળ, ઉપર નીચેનું બન્ને કમર ઉપર છે. જેની કમર ભાંગી ગઈ છે તેનું બધું બળ ગયું. વિષયાદિ જીવની તૃષ્ણ છે. સંસારરૂપી શરીરનું બળ આ વિષયાદિરૂપ કેડ, કમર ઉપર છે. જ્ઞાની પુરુષને બોધ લાગવાથી વિષયાદિરૂપ કેડ ભંગ થાય છે. અર્થાત્ વિષયાદિનું તુચ્છપણું લાગે છે અને તે પ્રકારે સંસારનું બળ ઘટે છે, અર્થાત્ જ્ઞાની પુરુષના બોધમાં આવું સામર્થ્ય છે. શ્રી મહાવીરસ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ, પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા, ત્યાં કેવી અદ્ભુત સમતા ! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણ થાય છે! આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયાં. કેવી અદ્ભુત સમતા ! પારકી દયા કેવી રીતે ઊગી નીકળી હતી! તે વખતે મેતરાજાએ જે જરા ધક્કો માર્યો હોત તે તે તરત જ તીર્થંકરપણું સંભવત નહીં; જે કે દેવતા તે ભાગી જાત. પણ મેહનીયના મળને મૂળથી નાશ કર્યો છે, અર્થાત્ મેહને જ મૂળથી નાશ કર્યા છે, છે, તે મેહ કેમ કરે? શ્રી મહાવીર સ્વામી સમીપે શાળાએ આવી બે સાધુને બાળી નાંખ્યા, ત્યારે તો એ આવી એ સાધુને બાળી નાંખ્યા, ત્યારે જે જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હોત તે તીર્થંકરપણું ફરી કરવું પડત; પણ જેને “હું ગર છું, આ મારા શિષ્ય છે એવી ભાવના નથી તેને તે કઈ પ્રકાર કરે પડતું નથી. હું શરીરરક્ષણને દાતાર નથી, ફક્ત ભાવઉપદેશને દાતાર છું, જે હું રક્ષા કરું તે મારે ગે શાલાની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે” એમ વિચાર્યું. અર્થાત્ તીર્થંકર એમ મારાપણું કરે જ નહીં. | વેદાંત વિષે આ કાળમાં ચરમશરીરી કહ્યા છે. જિનના અભિપ્રાય પ્રમાણે પણ આ કાળમાં એકાવતારી જીવ થાય છે. આ કાંઈ થેડી વાત નથી; કેમકે આ પછી કાંઈ મક્ષ થવાને વધારે વાર નથી. સહેજ કાંઈ બાકી રહ્યું હોય, રહ્યું છે તે પછી સહેજમાં ચાલ્યું જાય છે. આવા પુરુષની દશા, વૃત્તિઓ કેવી હોય? અનાદિની ઘણી જ વૃત્તિઓ સમાઈ ગઈ હોય છે અને એટલી બધી શાંતિ થઈ ગઈ હોય છે કે, રાગદ્વેષ બધા નાશ પામવા યોગ્ય થયા છે, ઉપશાંત થયા છે. સદુવૃત્તિઓ થવા માટે જે જે કારણે, સાધને બતાવેલાં હોય છે તે નહીં કરવાનું જ્ઞાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy