SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ १८४ શ્રીમદ્ રાજચંદ્ર નિર્ધ્વસ પરિણામ એટલે આક્રોશ પરિણામપૂર્વક ઘાતકીપણું કરતાં બેદરકારીપણું અથવા ભયપણું નહીં, ભવભીરુપણું નહીં તેવાં પરિણામ. હાલના વખતમાં મનુષ્યનું કેટલુંક આયુષ્ય બાળપણામાં જાય, કેટલુંક સ્ત્રી પાસે જાય, કેટલુંક નિદ્રામાં જાય, કેટલુંક ધંધામાં જાય, અને સહેજ રહે તે કુગુરુ લૂંટી લે. એટલે મનુષ્યભવ નિરર્થક ચાલ્યા જાય. લેકેને કંઈ જવું કહીને સદ્ગુરુ પાસે સત્સંગમાં આવવાની જરૂર નથી. જોકે એમ પૂછે કે “કેણ પધાર્યા છે?” તે સ્પષ્ટ કહેવું કે “મારા પરમકૃપાળુ સદૂગુરુ પધાર્યા છે. તેમનાં દર્શન અર્થે જવાનું છે.” ત્યારે કઈ કહે કે “હું તમારી સાથે આવું?” ત્યારે કહેવું કે, “ભાઈ, તેઓશ્રી કંઈ હાલ ઉપદેશ તરીકેનું કાર્ય કરતા નથી. અને તમારે હેતુ એ છે કે ત્યાં જઈશું તે સાંભળીશું. પણ કંઈ ત્યાં ઉપદેશ દે એ કેઈ નિયમ નથી.” ત્યારે તે ભાઈ પૂછે કે, “તમને ઉપદેશ કેમ દીધે?” ત્યાં જણાવવું કે “મારે પ્રથમ એમના સમાગમમાં જવાનું થયેલું અને તે વખતે ધર્મ સંબંધી વચને શ્રવણ કર્યો કે જેથી મને તેમ ખાતરી થઈ કે આ મહાત્મા છે. એમ ઓળખાણ થતાં મેં તેમને જ મારા સદૂગુરુ ધાર્યા છે. ત્યારે તે એમ કહે કે “ઉપદેશ દે અગર ના દે પણ મારે તે તેમનાં દર્શન કરવાં છે.” ત્યારે જણાવવું કે કદાચ ઉપદેશ ના દે તે તમારે વિકલ્પ કરશે નહીં.” આમ કરતાંય જ્યારે આવે ત્યારે તે હરિઇચ્છા. પણ તમારે પોતે કંઈ તેવી પ્રેરણું ન કરવી કે ચાલે, ત્યાં તે બેધ મળશે, ઉપદેશ મળશે. એવી ભાવના પિતે કરવી નહીં તેમ બીજાને પ્રેરણા કરવી નહીં. ૨ કાવિઠા, શ્રાવણ વદ ૩, ૧૯૫૨ - પ્ર– કેવલજ્ઞાનીએ સિદ્ધાંત પ્રરૂપ્યા તે પરઉપયોગ” કે “સ્વઉપગ” ? શાસ્ત્રમાં કહ્યું છે કે કેવળજ્ઞાની સ્વઉપયોગમાં જ વર્તે. ઉ૦ – તીર્થંકર કોઈને ઉપદેશ દે તેથી કરી કાંઈ “પરઉપગ” કહેવાય નહીં. પરઉપગ” તેને કહેવાય કે જે ઉપદેશ દેતાં રતિ, અરતિ, હર્ષ, અહંકાર થતાં હોય. જ્ઞાની પુરુષને તે તાદાભ્યસંબંધ હેતે નથી જેથી ઉપદેશ દેતાં રતિ, અરતિ ન થાય. રતિ, અરતિ થાય તે “પરઉપયોગ” કહેવાય. જો એમ હોય તે કેવળી કાલેક જાણે છે, દેખે છે તે પણ પરઉપગ કહેવાય. પણ તેમ નથી, કારણ તેને વિષે રતિપણું, અરતિપણું નથી. સિદ્ધાંતના બધા વિષે એમ સમજવું કે આપણું બુદ્ધિ ન પહોંચે તેથી તે વચને અસત્ છે એમ ન કહેવું; કારણ કે જેને તમે અસત્ કહે છે, તે શાસ્ત્રથી જ પ્રથમ તે તમે જીવ, અજીવ એવું કહેતાં શીખ્યા છે, અર્થાત્ તે જ શાસ્ત્રોને આધારે જ તમે જે કાંઈ જાણે છે તે જાણ્યું છે, તે પછી તેને અસત્ કહેવાં તે ઉપકારને બદલે દેષ કરવા બરાબર ગણાય. વળી શાસ્ત્રને લખનારાઓ પણ વિચારવાના હતા તેથી તે સિદ્ધાંત વિષે જાણતા હતા. મહાવીરસ્વામી પછી ઘણે વર્ષે લખાણ છે માટે અસત્ કહેવાં તે દોષ ગણાય. હાલ સિદ્ધાંતને જે બધે જોવામાં આવે છે તે જ અક્ષરેમાં અનુક્રમે તીર્થંકરે કહ્યું હોય એમ કાંઈ નથી. પણ જેમ કેઈ વખતે કેઈએ વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા સંબંધી પૂછ્યું તે તે વખતે તે સંબંધી વાત કહી. વળી કેઈએ પૂછ્યું કે ધર્મકથા કેટલા પ્રકારે તે કહ્યું કે ચાર પ્રકારે :- આક્ષેપણી, વિક્ષેપણ, નિર્વેદણી, સંવેગણી. આવા આ પ્રકારની વાત થતી હોય તે તેમની પાસે જે ગણધરે હોય તે ધ્યાનમાં રાખી લે, અને અનુક્રમે તેને બાંધે બાંધે. જેમ અહીં કઈ વાત કરવાથી કોઈ ધ્યાનમાં રાખી અનુક્રમે તેને બાંધે બાંધે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy