SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ શ્રીમદ્ રાજચંદ્ર શંકા-શિષ્ય ઉવાચ (જીવને તે કર્મથી મોક્ષ નથી, એમ શિષ્ય કહે છે :-) કર્તા ભક્તા જીવ હે, પણ તેને નહિ મોક્ષ; વીત્યે કાળ અનંત પણ, વર્તમાન છે દેષ. ૮૭ કર્તા ભક્તા જીવ હે, પણ તેથી તેને મેક્ષ થવા યંગ્ય નથી, કેમકે અનંતકાળ થયે તેપણું કર્મ કરવારૂપી દેષ હજુ તેને વિષે વર્તમાન જ છે. ૮૭, શુભ કરે ફળ ભેગવે, દેવાદિ ગતિ માંય અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. ૮૮ શુભ કર્મ કરે છે તેથી દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભેગવે, અને અશુભ કર્મ કરે તે નરકાદિ ગતિને વિષે તેનું અશુભ ફળ ભેગ; પણ છવ કર્મરહિત કઈ સ્થળે હાય નહીં. ૮૮ સમાધાન-સદ્ગુરુ ઉવાચ (તે કર્મથી જીવને મોક્ષ થઈ શકે છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે:-) જેમ શુભાશુભ કર્મોપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯ જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તેં થતાં જાણ્યાં, અને તેથી તેનું ભક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા છે માટે તે નિવૃત્તિનું પણ સફળ૫ણું છે, અર્થાત્ જેમ તે શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યંગ્ય નથી, માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે એમ હે વિચક્ષણ! તું વિચાર. ૮૯ વીત્યે કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મેક્ષ સ્વભાવ ૯૦ કર્મસહિત અનંતકાળ વીત્યે, તે તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીયે, પણ તેના પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય, અને તેથી સ્વભાવ પ્રગટ થાય. ૯૦ દેહાદિક સંયેગને, આત્યંતિક વિયેગ; સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભેગ. ૯૧ દેહાદિ સંગને અનુક્રમે વિયેગ તે થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયેગ કરવામાં આવે તે સિદ્ધસ્વરૂપ મેક્ષસ્વભાવ પ્રગટે, અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભગવાય. ૯૧ શંકા-શિષ્ય ઉવાચ (મક્ષ ઉપાય નથી, એમ શિષ્ય કહે છે :-) હેય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય? ૯૨ મોક્ષપદ કદાપિ હોય તે પણ તે પ્રાપ્ત થવાને કોઈ અવિરેાધ એટલે યથાતથ્ય પ્રતીત થાય એ ઉપાય જણાતું નથી, કેમકે અનંત કાળનાં કર્મો છે, તે આવા અલ્પાયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય? ૨ અથવા મત દર્શન ઘણું, કહે ઉપાય અનેક; તેમાં મત સાચે કયે, બને ન એહ વિવેક. ૯૩ અથવા કદાપિ મનુષ્યદેહના અલ્પાયુષ્ય વગેરેની શંકા છેડી દઈએ, તેપણુ મત અને દર્શન ઘણું છે, અને તે મોક્ષના અનેક ઉપાયે કહે છે, અર્થાત્ કેઈ કંઈ કહે છે અને કઈ કંઈ કહે છે, તેમાં ક મત સાચે એ વિવેક બની શકે એવું નથી. ૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy