SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૯ મું ૬૫૧ મુંબઈ, કારતક, ૧લ્પર * જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયા તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમા, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાકય “સમજીને શમાઈ રહી” તેનો અર્થ છે. અન્ય પદાર્થના સંગમાં જે અધ્યાસ હતું, અને તે અધ્યાસમાં આત્માપણું માર્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું. એ બીજું વાક્ય “સમજીને શમાઈ ગયા” તેને અર્થ છે. - પર્યાયાંતરથી અર્થાતર થઈ શકે છે. વાસ્તવ્યમાં બન્ને વાકયને પરમાર્થ એક જ વિચારવા ગ્ય છે. જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહત્વ, મમત્વ શમાવી દીધું કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તે દીઠો નહીં, અને નિજ સ્વભાવ તે અચિંત્ય અવ્યાબાધ સ્વરૂપ, કેવળ ત્યારે જે એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા; વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ પેગ સુધી ક્વચિત્ રહ્યો, તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયે; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગેચરપદમાં લીનતા થઈ. * જુઓ આંક ૬૪૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy