SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ શ્રીમદ્ રાજચંદ્ર સર્વસ્વ લૂંટાયા જે વેગ મેં કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યુગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિને સર્વોત્તમ સદુપાય એ જે સદૂગુરુ પ્રત્યેને શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.” એવા ભાવના વીશ દેહરા જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ! હે પ્રભુ! શું કહું? દીનાનાથ દયાળ છે, તે દેહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશે તે વિશેષ ગુણવૃત્તિને હેતુ છે. બીજા આઠ 2ટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા એગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાને બોધ કહ્યો છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થવિશેષને હેતુ છે. “ોગવાસિષ્ઠની વાંચના પૂરી થઈ હોય તે થેડે વખત તેને અવકાશ રાખી એટલે હમણાં કરી વાંચવાનું બંધ રાખી “ઉત્તરાધ્યયનસૂત્ર વિચારશે; પણ તે કુળસંપ્રદાયના આગ્રહાથે નિવૃત્ત કરવાનું વિચારશે, કેમકે જીવને કુળગે સંપ્રદાય પ્રાપ્ત થયું હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ ? એમ વિચારતાં દ્રષ્ટિ ચાલતી નથી અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે; માટે મુમુક્ષુ જીવને તે એમ જ કર્તવ્ય છે કે જીવને સદ્ગુરુગે કલ્યાણની પ્રાપ્તિ અલપકાળમાં થાય તેનાં સાધન, વૈરાગ્ય અને ઉપશમાથે “ગવાસિષ્ઠ”, “ઉત્તરાધ્યયનાદિ’ વિચારવા યોગ્ય છે, તેમ જ પ્રત્યક્ષ પુરુષના વચનનું નિરાબાધપણું, પૂર્વાપર અવિરેધપણું જાણવાને અર્થે વિચારવા એગ્ય છે. આ૦ સ્વ. પ્રણામ. પ૩૫ મુંબઈ, કારતક સુદ ૩, બુધ, ૧૫૧ તમને બે પત્તાં લખ્યાં છે તે પહોંચ્યાં હશે. અમે સંક્ષેપમાં લખ્યું છે. અભિન્નભાવે લખ્યું છે. માટે કદાપિ કંઈ તેમાં અંદેશા યંગ્ય નથી. તેપણ સંક્ષેપના કારણથી ન સમજાય એવું કંઈ બને તે પૂછવામાં અડચણ નથી. શ્રીકૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય, પણ વિચારતાં તે આત્મભાવ–ઉપયોગી હતા, એમ સ્પષ્ટ જણાય છે. જે શ્રીકૃષ્ણ કાંચનની દ્વારિકાનું, છપ્પનકોટિ યાદવે સંગ્રહિતનું, પંચવિષયના આકર્ષિત કારણેના યુગમાં સ્વામીપણું ભગવ્યું, તે શ્રીકૃષ્ણ જ્યારે દેહ મૂકયો છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા એગ્ય છે, અને તે વિચારી આ જીવને જરૂર આકુળપણથી મુક્ત કરવા યોગ્ય છે. કુલનો સંહાર થયો છે, દ્વારિકાને દાહ થયું છે, તે શેકે શેકવાન એકલા વનમાં ભૂમિ પર આધાર કરી સૂતા છે, ત્યાં જરાકુમારે બાણ માર્યું તે સમયે પણ જેણે ધીરજને અવગાહી છે તે શ્રીકૃષ્ણની દશા વિચારવા યોગ્ય છે. ૫૩૬ મુંબઈ, કારતક સુદ ૪, ગુરુ, ૧૯૫૧ આજે પત્ર ૧ પ્રાપ્ત થયું છે, અને તે સંબંધમાં યથાઉદય સમાધાન લખવાનું વિચારું છું અને તે પત્ર તરતમાં લખીશ. બે પ્રકારની દશા મુમુક્ષુ જીવને વર્તે છે એક “વિચારદશા', અને બીજી “સ્થિતપ્રજ્ઞદશા”. સ્થિતપ્રજ્ઞદશા વિચારદશા લગભગ પૂરી થયે અથવા સંપૂર્ણ થયે પ્રગટે છે. તે સ્થિતપ્રજ્ઞદશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે, કેમકે આત્મપરિણામને વ્યાઘાતરૂપ વેગ આ કાળમાં પ્રધાનપણે વર્તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy