SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ર૭ મું ૪૧૧ એમ એ ત્રણ પ્રશ્નોનું સંક્ષેપ સમાધાન લખ્યું છે, તે વિશેષ કરી વિચારશે. વિશેષ કંઈ સમાધાન જાણવા ઈચ્છા થાય તે લખશે. જેમ વૈરાગ્ય ઉપશમનું વર્ધમાનપણું થાય તેમ હાલ તે કર્તવ્ય છે. મુંબઈ, અસાડ સુદ ૬, રવિ, ૧૫૦ શ્રી સ્તંભતીર્થસ્થિત, શુભેચ્છાસંપન્ન શ્રી ત્રિભુવનદાસ પ્રત્યે યથાયોગ્યપૂર્વક વિનંતિ કે – બંધવૃત્તિઓને ઉપશમાવવાને તથા નિવર્તાવવાને જીવને અભ્યાસ, સંતત અભ્યાસ કર્તવ્ય છે, કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? કારણ વિના કેઈ કાર્ય સંભવતું નથી; તે આ જીવે તે વૃત્તિઓનાં ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય એટલે તેને અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. ઘણી વાર પૂર્વકાળે વૃત્તિઓને ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી, અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતા નથી, અર્થાત્ હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતું નથી, તેમ કડવાશ લાગતાં છતાં તે કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમન, નિવર્તનમાં પ્રવેશ કરતું નથી. આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામી જીવે વિચારવા ગ્ય છે; વિસર્જન કરવા યોગ્ય કઈ રીતે નથી. પુત્રાદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મેહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા યોગ્ય છે. જીવ જે જરાય વિચાર કરે તે સ્પષ્ટ દેખાય એવું છે કે, કેઈને વિષે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં પણ રાખી નથી, અને કેઈને વિષે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે, અને કોઈ જીવ હજુ સુધી તે પિતાપુત્ર થઈ શકયા દીઠા નથી. સૌ કહેતા આવે છે કે આને આ પુત્ર અથવા આને આ પિતા, પણ વિચારતાં આ વાત કઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અનુત્પન્ન એ આ જીવ તેને પુત્રપણે ગણવે, કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે, અને તે મૂઢતા કેઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘટતી નથી. જે મહાદિ પ્રકાર વિષે તમે લખ્યું તે બન્નેને બ્રમણને હેતુ છે, અત્યંત વિટંબણાને હેતુ છે. જ્ઞાની પુરુષ પણ એમ વર્તે તે જ્ઞાન ઉપર પગ મૂકવા જેવું છે, અને સર્વ પ્રકારે અજ્ઞાનનિદ્રા તે હેતુ છે. એ પ્રકારને વિચારે બન્નેને સીધે ભાવ કર્તવ્ય છે. આ વાત અલ્પકાળમાં ચેતવાગ્ય છે. જેટલું બને તેટલે તમે કે બીજા તમ સંબંધી સત્સંગી નિવૃત્તિને અવકાશ લેશે તે જ જીવને હિતકારી છે. ૫૧૧ મેહમયી, અસાડ સુદ ૬, રવિ, ૧૯૫૦ શ્રી અંજારસ્થિત, પરમ સ્નેહી શ્રી સુભાગ્ય, આપને સવિગત કાગળ ૧, તથા પતું ૧ પ્રાપ્ત થયું છે. તેમાં લખેલાં પ્રશ્નો મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યો છે, તે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત સંદેશારહિત લાગે છે. જે એમ થયું હોત તે જીવને સંસાર પરિભ્રમણ હેય નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધવશાત્ જેને દેહ છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે; અને આ જીવે તે પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાણ્યું નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યા આવ્યો છે. તે પિતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy