SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ વૈરાગ્યાદ્રિ સાધનસંપન્ન ભાઈ કૃષ્ણદાસ, શ્રીમદ્ રાજચંદ્ર ૪૪૯ શ્રી ખંભાત. શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ પહોંચેલ છે. સર્વે પરમાર્થનાં સાધનમાં પરમસાધન તે સત્સંગ છે, સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે, અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાનીપુરુષાએ જાણ્યું છે. જ્ઞાનીપુરુષોની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ જેવી હોતી નથી. ઊના પાણીને વિષે જેમ અગ્નિપણાના મુખ્ય ગુણુ કહી શકાતા નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે; તથાપિ જ્ઞાનીપુરુષ પણ નિવૃત્તિને કોઈ પ્રકારે પણ ઇચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્રો, વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સંગાદિ જ્ઞાનીપુરુષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે. તથાપિ ઉદયપ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે. સત્સંગની રુચિ રહે છે, તેના લક્ષ રહે છે, પણ તે વખત અત્ર વખત નિયમિત નથી. મુંબઈ, જેઠ સુદ ૧૧, શુક્ર, ૧૯૪૯ કલ્યાણને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણેા છે, તે જીવે વારંવાર વિચારવાં ઘટે છે; તે તે કારણેાને વારંવાર વિચારી મટાડવાં ઘટે છે; અને એ માર્ગને અનુસર્યાં વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. જ્ઞાનીપુરુષાનાં વચનની પ્રાપ્તિ થયે, તેને યથાયેાગ્ય વિચાર થવાથી, અજ્ઞાનની નિવૃત્તિ હાય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હાવાથી તેના રાધ થવાને અર્થે અને જ્ઞાનીપુરુષનાં વચનાના યથાયેાગ્ય વિચાર થવાને અર્થે, મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પેાતાના દેષનું જોવું, અલ્પારંભ, અલ્પપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાનીપુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. Jain Education International જ્ઞાનીપુરુષના સમાગમના અંતરાય રહેતા હેાય, તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાનીપુરુષની દશા, ચેષ્ટા અને વચનેા નીરખવા, સંભારવા અને વિચારવા યાગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં, પ્રવૃત્તિના પ્રસંગેામાં, અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે; કારણ કે એક તે સમાગમનું ખળ નથી, અને બીજો અનાદિ અભ્યાસ છે જેના, એવી સહાકાર પ્રવૃત્તિ છે; જેથી જીવ આવરણપ્રાપ્ત હોય છે. ઘરનું, જ્ઞાતિનું, કે બીજાં તેવાં કામેાનું કારણ પત્યે ઉદાસીનભાવે પ્રતિબંધરૂપ જાણી પ્રવર્તન ઘટે છે. તે કારણાને મુખ્ય કરી કાઈ પ્રવર્તન કરવું ઘટતું નથી; અને એમ થયા વિના પ્રવૃત્તિના અવકાશ પ્રાપ્ત થાય નહીં. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લેાકસંજ્ઞા, આધસંજ્ઞા અને અસત્સંગ એ કારણા છે; જે કારણેામાં ઉદાસીન થયા વિના, નિઃસત્ત્વ એવી લેાકસંબંધી જપતપાદિ ક્રિયામાં સાક્ષાત્ મેક્ષ નથી, પરંપરા મેક્ષ નથી, એમ માન્યા વિના, નિઃસત્ત્વ એવા અસત્શાસ્ત્ર અને અસદ્ગુરુ જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણા છે, તેને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવા બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાનીપુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવાં વચને પણ તે કારણેાને લીધે જીવને સ્વરૂપના વિચાર કરવાને બળવાન થતાં નથી. હવે એવા નિશ્ચય કરવા ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કેઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યાગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના ખીજો કોઈ કલ્યાણના ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યા છે, એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy