SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૪ મું ૧૯૬ મુ—પણે રહેવું પડે છે એવા જિજ્ઞાસુ, જીવને એ મોટાં બંધન છે : એક સ્વચ્છંદ અને ખીજું પ્રતિબંધ. સ્વછંદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઇએ; અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તે અંધનના નાશ થતા નથી. સ્વચ્છંદ જેને ઢાયા છે તેને જે પ્રતિબંધ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે. વ્યાખ્યાન કરવું પડે તે કરવું; પણ પ્રતિબંધ છે, એમ સમજતાં જતાં ઉદાસીન અને ચેાગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા, અને ભાવ સમજીને કરવું. ૨૧ મુંબઈ, માહ સુદ ૭, રિવ, ૧૯૪૭ આ કર્ત્તવ્યની હજી મારી યેાગ્યતા નથી અને આ મને ભાવે કરવું. ન કરવા માટે જેટલા સામાને રુચિકર તેમ છતાંય જ્યારે કરવું પડે તા ઉપર પ્રમાણે ઉદાસીન Jain Education International ૧૯૭ મુંબઈ, માહ સુદ ૯, મંગળ, ૧૯૪૭ આપનું આનંદરૂપ પત્ર મળ્યું. તેવા પત્રનાં દર્શનની તૃષા વધારે છે. જ્ઞાનના ‘પરાક્ષ-અપરોક્ષ' વિષે પત્રથી લખી શકાય તેમ નથી; પણ સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે, અને જો અસંગતાની સાથે આપના સત્સંગ હાય તેા છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે; કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે. અને તે જ વાટ તેનાં દર્શનની છે; આ ઉપાધિયોગમાં એ દર્શન ભગવત્ થવા દેશે નહીં, એમ તે મને પ્રેરે છે; માટે એકાંતવાસીપણે જ્યારે થવાશે ત્યારે ચાહીને ભગવતે રાખેલા પડદે એક થાડા પ્રયત્નમાં ટળી જશે. આટલા ખુલાસા સિવાય બીજે પત્ર વાટે ન કરી શકાય. હાલમાં આપના સમાગમ વિના આનંદના રાધ છે. વિ॰ આજ્ઞાંકિત ૧૯૮ મુંબઇ, માહ સુદ ૧૧, ગુરુ, ૧૯૪૭ સતને અભેદભાવે નમાનમઃ પત્ર આજે મળ્યું. અત્ર આનંદ છે (વ્રુત્તિરૂપ). કેવા પ્રકારથી હમણાં કાળક્ષેપ થાય છે તે લખશે. બીજી બધી પ્રવૃત્તિ કરતાં જીવને યાગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી ચેાગ્ય છે; અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામલેાગથી વૈરાગ્યસમેત સત્સંગ છે. સત્સંગ ( સમવયી પુરુષાના, સમગ્રણી પુરુષોને યેાગ)માં, સા જેને સાક્ષાત્કાર છે એવા પુરુષનાં વચનનું પરિચર્યન કરવું કે જેમાંથી કાળે કરીને સત્ની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ પ્રકારે જીવ પાતાની કલ્પનાએ કરી સત્ન પ્રાપ્ત કરી શકતા નથી. સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સત્નો માર્ગ મળે છે, સત્ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે; આ અમારું હૃદય છે. આ કાળ સુલભમેધીપણું પ્રાપ્ત થવામાં વિદ્મભૂત છે. કંઈક ( બીજા કાળ કરતાં ખહુ) હજુ તેનું વિષમપણું ઓછું છે; તેવા સમયમાં વક્રપણું, જડપણું જેનાથી પ્રાપ્ત થાય છે એવા માયિક વ્યવહારમાં ઉદાસીન થવું શ્રેયસ્કર છે. સતના માર્ગ કોઈ સ્થળે દેખાતા નથી. તમને બધાને હમણાં જે કંઈ જૈનનાં પુસ્તકો વાંચવાના પરિચય રહેતા હોય, તેમાંથી જગતનું ૧. મુનિ–મુનિશ્રી લલ્લુજી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy