SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ વર્ષ ૨૪ મું તમે આ વેળા જે કંઈ મારા પ્રત્યે કર્યું છે, તે એક જુદો જ વિષય છે; તથાપિ વિજ્ઞાપન છે કે કોઈ પણ પ્રકારે તમને અસમાધિરૂપ જેવું જણાય ત્યારે એ વિષય પરત્વે અત્ર લખી વાળવું, એટલે ચેાગ્ય વ્યવસ્થા કરવાના બનતા પ્રયાસ થશે. હવે એ વિષયને એટલેથી અહીં મૂકી દઉં છું. અમારી વૃત્તિ જે કરવા ઇચ્છે છે, તે નિષ્કારણ પરમાર્થ છે; એ વિષે વારંવાર જાણી શકયા છે; તથાપિ કંઈ સમવાય કારણની ન્યૂનતાને લીધે હાલ તે તેમ કંઈ અધિક કરી શકાતું નથી. માટે ભલામણ છે કે અમે હાલ કંઈ પરમાર્થજ્ઞાની છીએ અથવા સમર્થ છીએ એવું કથન કીર્તિત કરશેા નહીં. કારણ કે એ અમને વર્તમાનમાં પ્રતિકૂળ જેવું છે. તમે જે સમજ્યા છે, તેઓ માર્ગને સાધ્ય કરવા નિરંતર સત્પુરુષનાં ચિરત્રનું મનન રાખજો. તે વિષય પ્રસંગે અમને પૂછજો. સત્શાસ્ત્રને અને સત્કથાને તેમ જ સતને સેવજો. વિ નિમિત્તમાત્ર ૧૯૩ મુંબઇ, પાષ વિદ ૨, સોમ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ, અમને પ્રત્યેક મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય છે. જેથી તેએએ જે જે વિજ્ઞાપન કર્યું તે અમે વાંચ્યું છે. યથાયેાગ્ય અવસર પ્રાપ્ત થયે એ વિષે ઉત્તર લખી શકાય તેવું છે; તેમ જ હમણાં આશ્રમ ( સ્થિતિમાં પ્રવર્તે છે તે સ્થિતિ) મૂકી દેવાનું કંઈ અવશ્ય નથી; અમારા સમાગમનું અવશ્ય જણાવ્યું ખચીત હિતસ્વી છે. તથાપિ અત્યારે એ દશાના યાગ આવે તેમ નથી. નિરંતર અત્ર આનંદ છે. ત્યાં ધર્મચેાગની વૃદ્ધિ કરવા સર્વને વિનંતી છે. ૧૯૪ જીવને માર્ગ મળ્યા નથી એનું શું કારણ ? એ વારંવાર વિચારી યેાગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો. હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી, તેપણુ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત્ દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે યાગ્ય લાગ્યું તે લખ્યું છે. અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિના ચેગ મળવા દુર્લભ છે. સત્સ્વરૂ૫ને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમાનમઃ ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સભ્યપ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વે જ્ઞાનીઆએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણુ જ્ઞાનપ્રાપ્તિને એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોના મેધ લક્ષ જોવા જતાં એ જ છે, અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવા. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ તળવા માટે) જીવે એ માર્ગના વિચાર કરવા; દૃઢ મેાક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તા માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે Jain Education International વિરા મુંબઈ, પાષ, ૧૯૪૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy