SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) પિપાસા સંતોષવા અથવા આત્માર્થીઓને આત્મોન્નતિમાં પ્રગતિમાન થવા માટે ગૂર્જરભાષામાં આ એક અપૂર્વ સાહિત્ય છે. મોક્ષાર્થીઓને નિજ શુદ્ધ સહજ આત્મ તત્વની ઉપાસનાથી પરમાનંદમય મેક્ષમહેલમાં સુગમતાથી ચઢી જવા માટે આ એક દુષમકાળમાં અનેખું જ અવલંબનરૂપ સોપાન સમાન ઉપકારક થાય તેમ છે. એમાં વિવિધ પારમાર્થિક વિષયને સ્પર્શતું, મુખ્યપણે મોક્ષમાર્ગને સ્પષ્ટપણે અને સુગમ પ્રકારે દર્શાવતું, અમૂલ્ય છૂટાં વેરાયેલાં વચનરના પ્રકાશથી સર્વત્ર ચમકતું, રત્નાકર સમાન અગાધ, સર્વત્ર શાંત રસ ભરેલું ઉચ્ચતમ આધ્યાત્મિક સાહિત્ય ભર્યું પડ્યું છે. તે ખજકને અમૂલ્ય રત્નત્રયની પ્રાપ્તિથી પરમ શ્રેયને પ્રાપ્ત કરાવે તેવા નિધાન-ખજાના સમાન છે. એ તત્ત્વસાધકને પરમાનંદની સાધનામાં સહાયરૂપ બની પરમ શ્રેયનું કારણ થાઓ! અથવા વિધમુવમંડનું ભવતુ 1 વિદ્વાનેના મુખના આભૂષણરૂપ બને ! અજ્ઞાનવશાત્ બાહ્યદ્રષ્ટિથી વા લૌકિકભાવથી કે તેવા કોઈ આગ્રહથી કે સંકુચિત માનસથી શ્રીમને માત્ર ગૃહસ્થ, ઝવેરી, કે કવિરૂપે ઓળખી બેસવામાં જે ક્વચિત્ ભૂલ થતી હોય તે જરા ગુણાનુરાગ કે પ્રમોદભાવનાથી, સત્યને શોધવાની અને સ્વીકારવાની વિશાળ દ્રષ્ટિ રાખી, નિરાગ્રહપણે આ ગ્રન્થનું અવલોકન વા અભ્યાસ કરવામાં આવશે તે અવશ્ય એટલું દ્રષ્ટિગોચર થવા ગ્ય જ છે કે શ્રીમદ્દ એ કોઈ સામાન્ય કટિના મનુષ્ય નહિ પણ ઈશ્વર કેટિના મનુષ્ય અથવા મનુષ્યદેહે પરમાત્મા, પરમ જ્ઞાનાવતાર, પ્રગટ ધર્મમૂર્તિરૂપે જ ભારતને વિભૂષિત કરી ગયા છે. પૂર્વે અનેક ભવમાં સાધેલા યેગના ફળરૂપે આ ભવમાં અપૂર્વ આત્મસમાધિ સાધી ગયેલ કેઈ અદૂભુત ગીશ્વર જ છે. એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, કેઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કેણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ ? તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ, અમારે શું કરવાનું છે તે કેઈથી કળાય તેવું નથી.......” આંક ૨૫૫ કઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયોગ્ય જીવન્મુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવન સુલભ લાગતું નથી.........એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રેમમાં પણ તેને પ્રિય નથી.....” આંક ૧૩૪ - “ચૈતન્યને નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે. એ જ જોઈએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તે પણ રાખવા ઈચ્છા નથી. એક “તું હિ તું હિ’ એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે? આંક ૧૪૪ “નિરંજન પદને બૂઝનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે, એ વિચારતાં અકળ ગતિ પર ગંભીર સમાધિયુક્ત હાસ્ય આવે છે! હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શકવાના નથી; તે લખી ક્યાંથી શકીશું ?” આંક ૧૮૭ .મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે, અને કેટલીક વખત તે એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહિ લાગતું હોય પણ અમને સંગ દુઃખદાયક લાગે છે.” આંક ૨૧૭ સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતું હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવા પ્રસંગ નથી.” આંક ૩૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy