SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રશ્ન— પરંતુ સમર્થ વિદ્વાનો પોતાની મૃષા વાતને પણ દૃષ્ટાંતાદિકથી સૈદ્ધાંતિક કરી દે છે; એથી એ ત્રુટી શકે નહીં; પણ સત્ય કેમ કહેવાય ? ઉ—પણુ આને કંઈ મૃષા થવાનું પ્રત્યેાજન નહેાતું, અને પળભર એમ માનેા કે, એમ આપણને શંકા થઈ કે એ કથન મૃષા હશે તે પછી જગતકર્તાએ એવા પુરુષને જન્મ પણ કાં આપ્યા ? નામબાળક પુત્રને જન્મ આપવા શું પ્રયેાજન હતું ? તેમ વળી એ સત્પુરુષ સર્વજ્ઞ હતા; જગતકર્તા સિદ્ધ હાત તે એમ કહેવાથી તેઓને કંઈ હાનિ નહાતી. ૧૩૧ Jain Education International શિક્ષાપાઠ ૧૦૭. જિનેશ્વરની વાણી ( મનહર છંદ ) અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી માઠુ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહા! રાજચંદ્ર, ખાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. શિક્ષાપાઠ ૧૦૮. પૂર્ણમાલિકા મંગલ ( ઉપતિ ) તપેાપધ્યાને રવિરૂપ થાય, એ સાધીને સામ રહી સહાય; મહાન તે મંગળ પંક્તિ પામે, આવે પછી બુધના પ્રણામે. નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિ દાતા, કાં તે સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિયાગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે. For Private & Personal Use Only ૧ ર www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy