SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૭ મું ૧૨૭ એને શી અવશ્ય હતી ? એક તે જાણે એ પ્રકારે વિચાર અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે જૈનદર્શનપ્રવર્તકેને એનાથી કંઈ દ્વેષ હતે? એ જગકર્તા હોત તે એમ કહેવાથી એઓના લાભને કંઈ હાનિ પહોંચતી હતી ? જગત્કર્તા નથી, જગત અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કંઈ મહત્તા મળી જતી હતી? આવા અનેક વિચારે વિચારતાં જણાઈ આવશે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમ જ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે. એમાં ભિન્નભાવ કહેવા એમને લેશમાત્ર પ્રયજન નહોતું. સૂમમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે, એક રજકણથી કરીને આખા જગતના વિચારે જેણે સર્વ ભેદે કહ્યા છે, તેવા પુરુષનાં પવિત્ર દર્શનને નાસ્તિક કહેનારા કઈ ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે ! શિક્ષાપાઠ ૯૦ તત્ત્વાવબેધ–ભાગ ૧૭ જે ન્યાયથી જય મેળવી શક્યું નથી તે પછી ગાળો ભાંડે છે, તેમ પવિત્ર જૈનના અખંડ તત્ત્વસિદ્ધાંતે શંકરાચાર્ય, દયાનંદ સંન્યાસી વગેરે જ્યારે તેડી ન શક્યા ત્યારે પછી જૈન નાસ્તિક હૈ, સે ચાકમૅસે ઉત્પન્ન હુઆ હૈ, એમ કહેવા માંડ્યું. પણ એ સ્થળે કોઈ પ્રશ્ન કરે કે, મહારાજ ! એ વિવેચન તમે પછી કરે. એવા શબ્દો કહેવામાં કંઈ વખત, વિવેક કે જ્ઞાન જોઈતું નથી; પણ આને ઉત્તર આપો કે જૈન વેદથી કઈ વસ્તુમાં ઊતરતે છે, એનું જ્ઞાન, એને બેધ, એનું રહસ્ય અને એનું સન્શીલ કેવું છે તે એક વાર કહો! આપના વેદવિચારે કઈ બાબતમાં જૈનથી ચઢે છે? આમ જ્યારે મર્મસ્થાન પર આવે ત્યારે મૌનતા સિવાય તેઓ પાસે બીજું કંઈ સાધન રહે નહીં. જે પુરુષનાં વચનામૃત અને ગબળથી આ સૃષ્ટિમાં સત્ય, દયા, તત્વજ્ઞાન અને મહાશીલ ઉદય પામે છે, તે પુરુષો કરતાં જે પુરુષ શૃંગારમાં રાચ્યા પડ્યા છે, સામાન્ય તત્વજ્ઞાનને પણ નથી જાણતા, જેને આચાર પણ પૂર્ણ નથી તેને ચઢતા કહેવા, પરમેશ્વરને નામે સ્થાપવા અને સત્યસ્વરૂપની અવર્ણ ભાષા બોલવી, પરમાત્મસ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા, એ એમની કેટલી બધી કર્મની બહોળતાનું સૂચવન કરે છે! પરંતુ જગત મેહાંધ છે, મતભેદ છે ત્યાં અંધારું છે; મમત્વ કે રાગ છે ત્યાં સત્યતત્વ નથી એ વાત આપણે શા માટે ન વિચારવી ! હું એક મુખ્ય વાત તમને કહું છું કે જે મમત્વરહિતની અને ન્યાયની છે. તે એ છે કે ગમે તે દર્શનને તમે મને ગમે તે પછી તમારી દ્રષ્ટિમાં આવે તેમ જૈનને કહો, સર્વ દર્શનનાં શાસ્ત્રતત્વને જુએ, તેમ જૈનતત્વને પણ જુઓ. સ્વતંત્ર આત્મિક શક્તિએ જે યેગ્ય લાગે તે અંગીકાર કરે. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરે પણ તત્ત્વને વિચારે. શિક્ષાપાઠ ૯. સમાજની અગત્ય આશ્વભૌમિઓ સંસાર સંબંધી અનેક કલાકૌશલ્યમાં શાથી વિજય પામ્યા છે? એ વિચાર કરતાં આપણને તત્કાલ જણાશે કે તેઓને બહુ ઉત્સાહ અને એ ઉત્સાહમાં અનેકનું મળવું. કળાકૌશલ્યના એ ઉત્સાહી કામમાં એ અનેક પુરુષની ઊભી થયેલી સભા કે સમાજે પરિણામ શું મેળવ્યું? તે ઉત્તરમાં એમ આવશે કે લક્ષ્મી, કીર્તિ અને અધિકાર. એ એમનાં ઉદાહરણ ઉપરથી એ જાતિનાં કળાકૌશલ્ય શોધવાને હું અહીં બોધ કરતું નથી, પરંતુ સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગૂંથેલાં મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છના મતમતાંતરને ટાળવા તેમજ ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણ શ્રીમંત અને ધીમંત બનેએ મળીને સ્થાપન કરવાની અવશ્ય છે એમ દર્શાવું છું. પવિત્ર સ્યાદ્વાદમતનું ઢંકાયેલું તત્ત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયજન નથી, ત્યાં સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy